સુરત હજીરાના સમુદ્ર કિનારેથી બિનવારસી ચરસ મળી આવતા પોલીસ તંત્ર એલર્ટ

સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને  બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

New Update

સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને  બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ગુજરાતની દરિયાઈ પટ્ટી પર બિનવારસી નશીલા પદાર્થનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ વલસાડના દરિયા કિનારેથી પણ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, હજી આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચે ત્યાર પહેલા જ સુરત હજીરાના સમુદ્રી કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે,સુરત SOG પોલીસની ટીમ 15મી ઓગષ્ટ ને લઈને સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન પોલીસને સફળતા મળી હતી,અને હજીરાના દરિયા કિનારેથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 1 કિલો 754 ગ્રામ રૂપિયા 1 કરોડ અને 87 લાખનો ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો,પોલીસની પ્રાથમિક તપાસમાં હાઈ પ્યોરિટી અફઘાની ચરસ હોવાનું જાણવા મળ્યું હતું, હાલ તો પોલીસે બિનવારસી ચરસના વાલીવારસો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.      
Read the Next Article

સુરત : ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગને બુઝાવતી વેળા વધુ એક બ્લાસ્ટ, 2 ફાયરના જવાનો ઘાયલ

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે.

New Update
  • પુણા વિસ્તારના એક મકાનના ત્રીજા માળે આગ લાગી

  • ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ આગ ફાટી નીકળતા દોડધામ

  • ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોને પણ ઇજા

  • આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન સિલિન્ડર બ્લાસ્ટ

  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફાયરના 2 જવાનો સારવાર હેઠળ

સુરત શહેરના પુણા વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતાતે દરમિયાન અન્ય સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાયર વિભાગના 2 જવાનોને ગંભીર ઈજા પહોચી હતી.

મળતી માહિતી અનુસારસુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છેજ્યાં 3 માળનું એક મકાન આવેલું છે. જેમાં ત્રીજા માળે કેટલાક રૂમ કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવ્યા છે. જેમાં એમ્બ્રોડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છેત્યારે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતાઅને રસોઈ બનાવવાની કામગીરી શરૂઆત કરે તે પહેલા જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ ફાટી નીકળી હતી. જોકેરૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા.

બનાવના પગલે પુણાકાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ત્રીજા માળે ફાયરના જવાનો પહોંચ્યા હતા. આ દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો. આ સમયે અચાનક જ અન્ય એક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આગ બુઝાવવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ફાયરના જવાનોએ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.