સુરત હજીરાના સમુદ્ર કિનારેથી બિનવારસી ચરસ મળી આવતા પોલીસ તંત્ર એલર્ટ

સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને  બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

New Update

સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને  બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

Advertisment
ગુજરાતની દરિયાઈ પટ્ટી પર બિનવારસી નશીલા પદાર્થનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ વલસાડના દરિયા કિનારેથી પણ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, હજી આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચે ત્યાર પહેલા જ સુરત હજીરાના સમુદ્રી કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે,સુરત SOG પોલીસની ટીમ 15મી ઓગષ્ટ ને લઈને સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન પોલીસને સફળતા મળી હતી,અને હજીરાના દરિયા કિનારેથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 1 કિલો 754 ગ્રામ રૂપિયા 1 કરોડ અને 87 લાખનો ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો,પોલીસની પ્રાથમિક તપાસમાં હાઈ પ્યોરિટી અફઘાની ચરસ હોવાનું જાણવા મળ્યું હતું, હાલ તો પોલીસે બિનવારસી ચરસના વાલીવારસો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.      
Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment