"મતાધિકાર" : સુરતમાં ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી કર્યું મતદાન...

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે,

New Update
"મતાધિકાર" : સુરતમાં ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી કર્યું મતદાન...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે, ત્યારે અઠવાલાઈન્સના સુરત શહેર પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ફેસીલીટેશન સેન્ટરમાં સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકના પોલીસ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં સુરતની 16 વિધાનસભા પૈકી ઓલપાડ, માંગરોળ, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્વિમ, ચોર્યાસી અને મહુવા વિધાનસભાના પોલીસ અધિકારી કર્મચારીઓએ અઠવાલાઈન્સના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. મતદાનના અવસરે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથો સાથ સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

Latest Stories