સુરત : વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતી બોગસ મહિલા તબીબ સહિત 2 લોકોની ધરપકડ...

ઉમરાની એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે, તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટરો બોગસ છે. બાદમાં પોલીસે બંને ક્લિનિક પર તપાસ કરી હતી

New Update
  • બોગસ મહિલા તબીબ ઝડપાવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો

  • વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા બોગસ તબીબોનો પર્દાફાશ થયો

  • મગદલ્લા વિસ્તારમાંથી મહિલા સહિત 2 ઊંટવૈદની ધરપકડ કરાય

  • બન્ને બોગસ તબીબ ડિગ્રી રજૂ ન કરતા આખરે પોલીસે ધરપકડ કરી

  • પોલીસ કાર્યવાહીના પગલે અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો

સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા વધુ 2 બોગસ તબીબોની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 40 વર્ષીય એક મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. જોકેબોગસ મહિલા તબીબ પકડાઇ હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

તાજેતરમાં જ સુરત પોલીસે શહેરભરમાં નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા 10થી વધુ નકલી તબીબોની ધરપકડ કરી હતી. આ બાદ અસલી તબીબો પણ સતર્ક બન્યા હતા. ઉમરાની એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કેતેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટરો બોગસ છે.

જેથી પોલીસે બન્ને સ્થળોએ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કેજૂના મગદલ્લા વિસ્તારમાં ઘરમાં ક્લિનિક ચલાવતા 40 વર્ષીય લલીતા ક્રિપાશંકર સીંઘ અને મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ધરાવતા 57 વર્ષિય પ્રયાગ રામચંદ્ર પ્રસાદ પાસે જરૂરી કોઈ ડિગ્રી હતી જ નહીં. છતાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

પોલીસે બન્નેને ડિગ્રીઓ રજૂ કરવાનો સમય પણ આપ્યો હતો. જોકેનિયત સમય દરમિયાન કોઈપણ ડિગ્રી રજૂ ન કરી શકતા આખરે ઉમરા પોલીસે બન્ને બોગસ તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.