સુરત: દાઉદી વ્હોરા સમાજના રાત્રી ભોજનમાં ગૂંગળામણથી 20 મહિલા થઈ બેભાન

સુરતના નુરપુરાના એક ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં જમણવારની વ્યવસ્થા પણ હતી.

New Update
a

સુરતના નુરપુરાના એક ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં જમણવારની વ્યવસ્થા પણ હતી. આ દરમિયાન કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા વધારે હતી. જ્યાં નોનવેજ સિઝલરને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા અફરાતફરી સર્જાઇ હતી.

માહિતી અનુસાર નોનવેજ સિઝલર એક એવા પ્રકારનું ભોજન છે,જેમાંથી મોટાપાયે ધૂમાડો નીકળે છે. જોકે મોટી સંખ્યામાં ભીડ અને સિઝલરની વધુ પડતી પ્લેટને કારણે એટલો બધો ધૂમાડો થઈ ગયો કે ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું અને20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા હડકંપ મચી ગયો. નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના રાત્રી ભોજન માટેAC હોલમાં મહિલાઓ ભેગી થઈ હતીત્યારે આ ઘટના સર્જાઈ હતી. બેભાન અવસ્થામાં જ  મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બુરહાની હોસ્પિટલના ડોક્ટરોએ આ મામલે જાણકારી આપતાં કહ્યું કે ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. સિઝલરનો ધૂમાડો લોકોના શરીરમાં શ્વાસ દ્વારા પ્રવેશી ગયો હતો. ઉલ્લેખનીય છે કેનુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદેAC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

New Update
  • ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ

  • ઝાડા ,ઉલટીતાવ સહિતના દર્દીઓમાં વધારો

  • મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો

  • આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી

  • સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ  દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.