સુરત : ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરનાર 3 શખ્સો ઝડપાયા

ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો...

New Update

વરાછા વિસ્તારમાં નજીવી બાબતે ખેલાયો હતો ખૂની ખેલ

રામનગર સોસાયટીમાંથી સામે આવ્યો હતો હત્યાનો બનાવ

ઓવરટેક કરવા જતાં યુવાનો વચ્ચે થઈ હતી બોલાચાલી

છરીના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો

યુવકની હત્યા કરનાર 3 હત્યારાઓની પોલીસે કરી ધરપકડ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઓવરટેક કરવાની બાબતે થયેલ બોલાચાલીમાં એક યુવકની હત્યા થઈ હતીત્યારે યુવકની હત્યા કરનાર 3 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર તથા જિલ્લામાં લૂંટધાડ સહિત હત્યાની ઘટનાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છેત્યારે સુરતના વરાછા વિસ્તારના રામનગર સોસાયટીમાં જેનીશ ચૌહાણ નામનો યુવક મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતોત્યારે ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

હત્યા મામલે વરાછા પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તેવામાં હત્યારાઓનું પગેરું મેળવવામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા ડેનીવિમલ અને ઉત્તમ નામના 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.