સુરત : તાવના કારણે લોહીની ઊલટી થયા બાદ 4 વર્ષિય બાળકનું મોત, પરિજનોમાં શોકનો માહોલ

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

New Update

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છેત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisment

સુરત શહેર તથા જીલ્લામાં ચોમાસાની સિઝન દરમ્યાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુમલેરિયાતાવઝાડા-ઉલટી અને અન્ય વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતા લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેવામાં ગઈકાલે સુરતમાં એક મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું હતુંત્યારે આજે પુણાગામમાં રહેતા 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત નીપજ્યું છે. 4 વર્ષીય બાળક રુદ્ર ચૌહાણને છેલ્લા 4-5 દિવસથી તાવ આવતો હતો. જેથી તેના માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ તબિયત વધુ લથડતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોજ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેમૃતક બાળકને કોઈ પણ જાતની બીમારી ન હતી. ફક્ત 4-5 દિવસના તાવમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Advertisment
Read the Next Article

સુરત :  સ્માર્ટ સીટીનું બિરૂદ મળ્યું પરંતુ મનપામાં 8 હજારથી વધુ કર્મચારીઓની ઘટથી પ્રાથમિક કામોમાં અસુવિધા સર્જાઈ

સુરત શહેરનું હાલ દિવસેને દિવસે વિસ્તરણ થઈ રહ્યું છે.સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારનો વ્યાપ વધતો હોવાથી મહાનગરપાલિકાને હવે કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી છે.

New Update
  • સુરત શહેરને મળ્યું છે સ્માર્ટ સીટીનું બિરૂદ

  • મનપામાં સર્જાય કર્મચારીઓની ઘટ

  • કર્મચારીઓની ઘટથી પ્રાથમિક કામો ચઢ્યા ટલ્લે

  • 29895 કર્મચારીઓ સામે 21,778ની થઇ છે ભરતી

  • સમયસર કર્મચારીઓની ભરતી કરવા માટે કરાઈ માંગ 

Advertisment

સુરત શહેરને સ્માર્ટ સીટીનું બિરુદ મળ્યું છે.શહેરને સ્માર્ટ રાખનારી મહાનગરપાલિકામાં 8117 જેટલા કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે. વર્ગ એક સિલાઈ ચાર માટે કુલ 29,895 જેટલી જગ્યાઓ મંજુર કરવામાં આવી હતી. જે પૈકી 21,778 જગ્યાઓ પર નિમણુંક કરવામાં આવી છે.બાકીની આ જગ્યા ખાલી હોવાથી શહેરના પ્રાથમિક કામોમાં અનેક અડચણ જોવા મળી રહી છે.

 સુરત શહેરનું હાલ દિવસેને દિવસે વિસ્તરણ થઈ રહ્યું છે.સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારનો વ્યાપ વધતો હોવાથી મહાનગરપાલિકાને હવે કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી છે. મહાનગરપાલિકામાં 817 જેટલા કર્મચારીઓની ઘટ પાલિકાના ચોપડે બોલી રહી છે.આ ઘટતા કર્મચારીઓના કારણે શહેરના વિકાસના કામોમાં અનેક અડચણો આવી રહી છે. 

મહાનગરપાલિકામાં વર્ગ ચારના કર્મચારીઓ માટે પણ ભરતીને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.ખાસ કરીને રસ્તાની સાફ-સફાઈ કરવા ડ્રેનેજને લગતી સુવિધાઓ તેમજ અન્ય પ્રાથમિક કામો માટે કર્મચારીઓની ભરતી વહેલી તકે કરવામાં આવે તેવી માંગણી વખોતો વખત ઉઠી છે. તેમ છતાં હજુ પણ પાલિકા પાસે 8117 જેટલા કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે.

સુરત શહેરને સફાઈમાં નંબર વનનું બિરુદ મળ્યું છે.આ શહેરને સફાઈ કરનાર કર્મચારીઓની ઘટ પાલિકા પાસે જોવા મળી રહી છે.ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં હદ વિસ્તરણ બાદ પ્રાથમિક સુવિધાઓ આપવા માટે નવી ડ્રેનેજ લાઈન તેમજ રોડ રસ્તા બનાવવાનું શરૂ કર્યું છે.પરંતુ પાલિકા પાસે સ્ટાફની ઘટ હોવાથી આ કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે.ગ્રામ્યના અનેક વિસ્તારો મહાનગરપાલિકામાં ભળી ગયા છે.હદ વિસ્તરણ થયું હોવાથી ખરેખર હવે કર્મચારીઓની ઘટ સ્પષ્ટ પણે જોવા મળી રહી છે.

Advertisment