સુરત : તાવના કારણે લોહીની ઊલટી થયા બાદ 4 વર્ષિય બાળકનું મોત, પરિજનોમાં શોકનો માહોલ

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

New Update

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છેત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

સુરત શહેર તથા જીલ્લામાં ચોમાસાની સિઝન દરમ્યાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુમલેરિયાતાવઝાડા-ઉલટી અને અન્ય વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતા લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેવામાં ગઈકાલે સુરતમાં એક મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું હતુંત્યારે આજે પુણાગામમાં રહેતા 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત નીપજ્યું છે. 4 વર્ષીય બાળક રુદ્ર ચૌહાણને છેલ્લા 4-5 દિવસથી તાવ આવતો હતો. જેથી તેના માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ તબિયત વધુ લથડતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોજ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેમૃતક બાળકને કોઈ પણ જાતની બીમારી ન હતી. ફક્ત 4-5 દિવસના તાવમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Read the Next Article

સુરત : યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવતમાં દિન’દહાડે માતાનું અપહરણ કરનાર 7 લોકોની ધરપકડ, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન

એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતેથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું...

New Update
  • શહેરના પાલ વિસ્તારમાંથી સામે છે આવી ચોંકાવનારી ઘટના

  • પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું

  • હોસ્પિટલ નજીકથી 25 શખસ ખેંચી ગયા, CCTV સામે આવ્યા

  • 7 લોકોની ધરપકડરિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપી રડી પડ્યો

  • યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવત બની અપહરણનું કારણ 

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું હતું. CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું હતું. ગત તા. 10 જૂન-2025ના રોજ સવારે આશરે 11:30 કલાકે પાલ ગૌરવ પથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી. સુમિત્રા રાયાણીજે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છેતેમનું અંદાજે 25 જેટલા પુરુષો અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું.

જોકેસામે આવેલા CCTV ફૂટેજમાં જોવા મળે છે કેઆ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ધસી આવી હતી. તેમણે સુમિત્રા રાયાણીને ધક્કામુક્કી કરીનેશારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા અને રાંદેર તરફ લઈ ગયા હતા. રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે. રાંદેર રોડ પરની હેતલ નગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ મુજબતેમની બહેન સુમિત્રા રાયાણીના દીકરા અનિકેત ગત 1 જૂન2024ના રોજ અંબિકા નગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ ગત તા. 28 મે-2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાઅને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા.

આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફઅપહરણ કરનાર 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છેજ્યારે અન્ય ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.