સુરત: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ કરતા બે શખ્સોનો પ્રતિકાર કરનારા 53 વર્ષીય આધેડની હત્યા

સુરતના ઉધના રોડ નબર ૧૫ પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

New Update
સુરત: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ કરતા બે શખ્સોનો પ્રતિકાર કરનારા 53 વર્ષીય આધેડની હત્યા

સુરતના ઉધનામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે.આરોપીએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતા આધેડે પ્રતિકાર કરતા હોટેલના બે કર્મચારીઓ હત્યા કરી હતી.ઉધના પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે

સુરતના ઉધના રોડ નબર ૧૫ પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના શરીરે ઈજાના નિશાન હોય મામલો શંકાસ્પદ બન્યો હતો. પોલીસે યુવકની લાશને પીએમ અર્થે ખસેડી આ મામલે તપાસ હાથ ધરી હતી બીજી તરફ મૃતકની ઓળખ રામમૂરત રામબદન તિવારી તરીકેની થઇ હતી. બીજી તરફ પીએમ રીપોર્ટમાં આધેડનું મોત ગડદાપાટું અને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું જેથી ઉધના પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં બે ઈસમો આધેડને માર મારતા હોવાનું દેખાયું હતું. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.આ ઘટનામાં ઉધના પોલીસે સ્થાનિક વિસ્તારમાં આવેલી એક હોટેલના કર્મચારી આરોપી અજય ઇનાકરામ પટેલને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેના સાથી સુરેશ ચતુરસિહ કોરકું મધ્ય પ્રદેશ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસની એક ટીમ મધ્ય પ્રદેશ જઈને આરોપીને પકડી લાવી હતી.પોલીસના જણવ્યા મુજબ આધેડ રોડ પર સુતો હતો તે દરમ્યાન સુરેશે આધેડ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આધેડે પ્રતિકાર કરતા તેને ગડદાપાટુંનો માર મારવા ઉપરાંત હાથમાં પહેરેલું સ્ટીલનું કડું માથામાં મારતા રામમૂરત બેભાન થઇ ગયો હતો અને બાદમાં અજયની મદદથી ઘસડીને રોડની સાઈડમાં લઇ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. વધુમાં બંને આરોપીઓ સ્થાનિક હોટેલના કર્મચારીઓ છે અને બંને મૂળ મધ્ય પ્રદેશના વતની છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories