Connect Gujarat
સુરત 

સુરત : સીંગણપોર નજીક કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે સીંગણપોર વિસ્તારમાં આવેલ વિજયરાજ સર્કલ નજીક કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

X

સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે સીંગણપોર વિસ્તારમાં આવેલ વિજયરાજ સર્કલ નજીક કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના સીંગણપોર વિસ્તારમાં આવેલ વિજયરાજ સર્કલ નજીક કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી, ત્યારે આગનું ભીષણ સ્વરૂપ જોઈને હાજર લોકો પણ ડરી ગયા હતા. આગની ઘટનામાં પતરાનો શેડ બળીને ખાક થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં આગ ખૂબ જ ભીષણ હોય તેવા દ્રશ્યો જોતાં ફાયર ટીમે 5 જેટલા વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, ભારે જહેમત બાદ આગ ઉપર આખરે કાબુ મેળવાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્ર સહિત લોકોએ રાહત અનુભવી હતી.

Next Story