સુરત : 6ઠ્ઠા માળે આગ લાગતા યુવતી જીવ બચાવવા AC-કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ, ફાયર ફાઇટરોએ કર્યું દિલધડક રેસક્યું

એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફ્લેટમાં હાજર એક NRI મહિલા બારીમાંથી બહાર નીકળી ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી, ત્યારે ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાનો જીવ બચાવ્યો

New Update
  • નાનપુરા વિસ્તારના પ્રિયા એપાર્ટમેન્ટમાં આગની ઘટના

  • ફ્લેટમાં છઠ્ઠા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ

  • ફ્લેટમાં હાજર NRI મહિલાનો જીવ બચાવવાનો વલોપાત

  • મહિલા બારી બહાર ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ

  • ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાને બચાવી 

સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતોજ્યારે ફ્લેટમાં હાજર એક NRI મહિલા બારીમાંથી બહાર નીકળી ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતીત્યારે ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાનો જીવ બચાવ્યો હતો.

મળતી માહિતી અનુસારસુરત શહેરના નાનપુરા વિસ્તારમાં નાવડીઓ વાળા રામજી મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટ આવેલું છેજ્યાં છઠ્ઠા માળે મૂર્તુજા સમીવાલા રહે છે. થોડા દિવસ પહેલા લંડન રહેતી 22 વર્ષીય અહમતતુલા મુકાદમ મૂર્તુજાના ઘરે આવી હતી. આજે સવે અહમત ફ્લેટમાં એકલી હતી. તે દરમિયાન 11.27 કલાકે વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી.

વોશિંગ મશીનમાં આગ લાગવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. વોશિંગ મશીન પાસે લાકડાના કબાટ અને તેના પર ચોપડાઓ મુકેલા હતાજેના કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો. આગથી બચવા માટે અહમત બારીમાંથી બહાર નીકળીને ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી અને બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી.

જોકેસ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓએક હાઇડ્રોલિક અને એક TTL મશીન સાથે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આગ પર થોડો કાબુ મેળવી યુવતીનું રેસક્યું કરી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અંદાજે કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

સુરત : એરપોર્ટને નડતરરૂપ બહુમાળી ઈમારતનો મુદ્દો ગરમાયો,ક્રેડાઈ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

New Update
  • એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વેનો મામલો

  • ક્રેડાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત

  • એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવશે માહિતી

  • નડતરરૂપ બિલ્ડિંગ અંગે આપવામાં આવશે માહિતી

  • બિલ્ડિંગ ઓનર દ્વારા ન્યાયાલય સમક્ષ ન્યાયની માંગ  

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઝડપથી આ દિશામાં કોઈ નિર્ણય લેશે તેવી આશા બંધાઈ છે. તો બીજી તરફ ક્રેડાઈ દ્વારા આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં થયેલી ઘટના બાદ હવે સુરતના લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા છે. માત્ર ઈમારતમાં રહેતા લોકો જ નહીં પરંતુ જે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ આ એક મોટો ચિંતાનો વિષય છે. નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવામાં આવે તો સુરતમાં આવતી ફ્લાઇટ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી લેન્ડિંગ થઈ શકશે. આ બાબતને લઈને કલેક્ટરે પણ પોતાની ગંભીરતા હાલ દાખવી છે. નડતરરૂપ બિલ્ડિંગો કઈ કઈ છે તે અંગે માહિતી એરપોર્ટ ઓથોરિટી આપી શકે છે. તેમની સૂચના બાદ જ જે બિલ્ડિંગો નડતરરૂપ જણાશે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગોનો કેટલો ભાગ ઉતારી લેવા જેવો છે અને ત્યાર બાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરશે.જોકે આ બધી કાર્યવાહીને પગલે બિલ્ડીંગ ઓનરોમાં ફફડાટ વ્યાપી ગયો છે,અને તેઓએ આ મુદ્દે કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરી છે.