સુરત : સચિનમાં બિહાર દિવસનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો,કેન્દ્રીય મંત્રી પાટીલ અને કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન રહ્યા ઉપસ્થિત

સુરતમાં બિહાર દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધન કર્યું હતું.

New Update
  • સચિનમાં બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

  • કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન નિત્યાનંદ રાયની પણ વિશેષ ઉપસ્થિતિ

  • બિહાર વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પાટીલે કર્યું સંબોધન

  • છઠ્ઠ પૂજામાં વિશેષ ટ્રેન દોડાવવા માટે આપ્યું આશ્વાસન   

સુરતના સચિન વિસ્તારમાં બિહાર દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલે જણાવ્યું હતું કેબિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. જાતિ-પાતિમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે. હું બિહારની છઠ્ઠ પૂજામાં પણ સામેલ થઈશ અને ચૂંટણીના વિજયમાં પણ જોડાઈશ. છઠ્ઠ પૂજા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટેનું પણ તેઓએ આશ્વાસન આપ્યું હતું.

વધુમાં સી.આર.પાટીલે ઉમેર્યું હતું કે,ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે. આજે બિહાર તમારાથી આશા લગાવીને બેઠું છે. બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. પ્રધાનમંત્રી મોદીએ લાખો-કરોડો રૂપિયા આપી વિકાસનાં કામોની શરૂઆત કરાવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે. જે બીમાર બિહાર હતું તે હવે રહ્યું નથી. બિહારની અંદર હજી ડેવલપમેન્ટની આવશ્યકતા છે. હજી વધુ કામ કરવાની આવશ્યકતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

સુરત : સચિન વિસ્તારમાં જ્વેલર્સની લૂંટ વિથ મર્ડરની ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા, એક લૂંટારાને લોકોએ ધોઈ નાંખ્યો..!

જ્વેલર્સની લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી

New Update
  • સચિન વિસ્તારમાં રિવોલ્વર સાથે ચાર લૂંટારા ત્રાટક્યા

  • જ્વેલર્સની લૂંટ સહિત મર્ડરની ઘટના બનતાં ચકચાર

  • સમગ્ર ઘટનામાં લૂંટારુઓની હરકતCCTVમાં કેદ થઈ

  • એક લૂંટારો ઝડપાતાં લોકોએ માર મારી અધમૂઓ કર્યો

  • લૂંટ સહિત મર્ડરની ઘટના મામલે પોલીસે તપાસ આદરી

સુરત શહેરના સચિન વિસ્તારમાં જ્વેલર્સની લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છેત્યારે હાલ તો પોલીસેCCTV ફૂટેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. ગત તા. 7 જુલાઈએ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં 4 લૂંટારા રિવોલ્વર જેવા હથિયાર સાથે શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે ઘૂસી આવ્યા હતા. દુકાનમાં હાજર આશિષ રાજપરાએ પ્રતિકાર કરતાં એક લૂંટારાએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ગોળીઓ આશિષ રાજપરાને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન આશિષ રાજપરાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દીવાલ કૂદીને ભાગતો નજરે પડે છેઅને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. જોકેએક લૂંટારુને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓસચિન પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છેઅને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.