સુરત: પેપરલીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ બાદ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા.

New Update
સુરત: પેપરલીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ બાદ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા જ પેપર લીક થતા રાજ્યભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના સહિત એનએસયુઆઈના કાર્યકર્તાઓ એક સાથે સરકાર સામે વિરોધ કરતા નજરે પડ્યા હતા. આમ આદમી પાર્ટીએ પેપર કાંડમાં સામેલ કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ ગૌણ સેવાના અધ્યક્ષને સસ્પેન્ડ કરવાની માંગ સાથે એજન્ટોની સામે જ નહીં પરંતુ મુખ્ય જે આરોપીઓ છે તેમની પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આવેદનપત્ર આપવા દરમિયાન કલેક્ટર કચેરી પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અલ્પેશ કથેરીયા અને સુરત પોલીસ સાથે આવેદનપત્ર આપવા બાબતે બોલાચાલી થઈ હતી.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.