સુરત: હજીરાની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલમાં સર્જાઈ દુર્ઘટના,ચાર કામદારોના કરૂણ મોત

સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં વર્ષના અંતિમ દિવસની સંધ્યાએ આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા.

New Update
  • AMNSમાં ચાર શ્રમિકો મોતને ભેટ્યા

  • રો-મટીરીયલની પાઈપલાઈન છૂટી પડી

  • ગરમ મટીરીયલ કામદારો પર પડતા મોતને ભેટ્યા

  • મૃતકોની ઓળખ કરવી પણ બની મુશ્કેલ 

સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં વર્ષના અંતિમ દિવસની સંધ્યાએ આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા. મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે મૃતક શ્રમિકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે,અને DNA ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સુરતના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લી.(AMNS) કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી.આ સમયે નજીકમાં કામ કરી રહેલા પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.જેમાં ધવલ પટેલગણેશ પટેલજીજ્ઞેસ પારેખ અને સંદિપ પટેલ નામના ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં મંગળવાર તારીખ 31મી ડિસેમ્બરની સાંજે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આગમાં ચારેય કામદારો એટલા દાઝી ગયા હતા કે પોટલા વાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. કંપની દ્વારા ચારેય મૃતકોના નામ જાહેર કરાતા જ તેના પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. ઘટનાના ચાર કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા.

આગની દુર્ઘટનામાં જે ચારેય કામદારોના મોત થયા છે તેઓના મૃતદેહ એટલા બળી ગયા છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. કંપની દ્વારા તેઓના પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે ચાર કામદારોના મોત નિપજ્યા છે.તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુકયા કામદારનો મૃતદેહ કયો છે તે ઓળખવું મુશ્કેલ બનતા DNA ટેસ્ટ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આગની દુર્ઘટના અંગે ACP દીપ વકીલે જણાવ્યું હતું કે, AMNS કંપનીના ફોરેક્સ પ્લાન્ટ 2 માં જ્યાં કાચું લોખંડ બને છે ત્યાં રો મટીરીયલ લઈ જતી પાઈપલાઈન છુટી પડી ગઈ હતી. જે લિફ્ટ બાજુ ફેંકાઈ હતી. જેના કારણે ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યા હતા. કામદારો લિફ્ટ બાજુએથી પસાર થતા હતા તે વેળાએ ગરમ મટીરીયલ પડતા મોતને ભેટ્યા છે.ઘટનાને પગલે નોટિફાઈડ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી,જયારે ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.