સુરત : ઉધનામાં યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ…

સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરત : ઉધનામાં યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ…
New Update

સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ગેટ નંબર 2માં અવાવરૂ જગ્યાએથી એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. લોકોએ આ બનાવની જાણ પોલીસને કરી હતી, જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકનું મૂળ યુપીનો મહેન્દ્ર શર્મા જે સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આંતરિક ઝગડામાં યુવકને ગળાના ભાગે તીક્ષ્ણ હથીયારથી ઈજાઓ પહોચાડી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Murder Case #Surat #Young man #dead body #Udhana Police
Here are a few more articles:
Read the Next Article