સુરત : ફૂટપાથ રહેતા બાળકનું અપહરણ કરનાર શખ્સને અમદાવાદ રેલ્વે પોલીસે દબોચી લીધો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ રહેતા 5 વર્ષીય બાળકના અપહરણ મામલે અમદાવાદ રેલ્વે પોલીસની મદદથી કતારગામ પોલીસે અપહૃત બાળકને મુક્ત કરાવી 32 વર્ષીય અપહરણકર્તાને દબોચી લીધો હતો.

New Update

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ રહેતા 5 વર્ષીય બાળકના અપહરણ મામલે અમદાવાદ રેલ્વે પોલીસની મદદથી કતારગામ પોલીસે અપહૃત બાળકને મુક્ત કરાવી 32 વર્ષીય અપહરણકર્તાને દબોચી લીધો હતો.

મૂળ ઉત્તર પ્રદેશની વતની ૩૦ વર્ષીય વિધવા તેની 6 વર્ષની પુત્રી અને 6 વર્ષના પુત્ર સાથે થોડાક મહિના પહેલાં સુરત રહેવા આવી હતી. મજૂરી કામ કરી પેટિયું રળતી આ મહિલા લલિતા ચોકડી પાસે ફૂટપાથ ઉપર બન્ને બાળકો સાથે રહેતી હતી. ગત 7મી તારીખે બપોરના અરસામાં 5 વર્ષીય પુત્ર ગુમ થઈ ગયો હતો. મોડે સુધી શોધખોળ કરવા છતાં પણ તે નહીં મળતાં કતારગામ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ચૌધરી અને તેમની ટીમે CCTV ફૂટેજ ચેક કરતાં બાળકનું અપહરણ કરનાર શખ્સ અહીં ભંગાર વીણતો હોવાનું અને તે આ બાળકને પોતાનો મોબાઇલ ફોન રમવા આપતો હોવાનું તથા ક્યારેક નાસ્તો પણ કરાવતો હતો.

સદ્ભાગ્યે આ શખ્સનો મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલનું લોકેશન કઢાવતાં તે અમદાવાદ તરફ જતી ટ્રેનમાં જતો હોય તેવું જણાઇ આવતાં અમદાવાદ રેલ્વે પોલીસ ઈન્સ્પેક્ટર જે.એચ.ગઢવીને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશને ઉતરતાં જ રેલ્વે તથા અમદાવાદ ઝોન-2ની સ્ક્વોર્ડે 32 વર્ષીય અપહરણકાર દીપક બાબુરાવ ઈગળેને દબોચી લઇ બાળકને મુક્ત કરાવ્યંન હતું. આરોપીએ કરેલી કબુલાત પ્રમાણે પોતાનું લગ્નજીવન થોડાક મહિનામાં જ ભાંગી પડ્યું હતું. પોતાને કોઈ સંતાન પણ ન હતુંઅને એકલો જ રહેતો હતો. આ બાળકને તે વારંવાર મળતો હોયજેથી તેની સાથે લાગણી બંધાઇ ગઇ હતી. બાળક હંમેશાં પોતાની સાથે રહી શકે તે માટે અપહરણ કરી ગયાનું જણાવ્યું હતુંત્યારે હાલ તો કતારગામ પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

 

Read the Next Article

સુરત : સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં વધારો,નેચર પાર્કને રૂ.40.39 લાખની થઈ આવક

વન્ય પ્રાણીઓને નજરે જોવા અને તેમના વિશે જાણકારી મેળવવા માટે વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ લોકોએ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી જેના કારણે નેચર પાર્કને 40.93 લાખ જેટલી આવક થઈ

New Update
  • સુરત મનપા દ્વારા સંચાલિત નેચર પાર્ક

  • પ્રાણીસંગ્રહાલયને ઉનાળુ વેકેશન ફળ્યું

  • 1.94 લાખ લોકોએ નેચર પાર્કની લીધી મુલાકાત

  • નેચર પાર્કમાં 40.39 લાખ રૂપિયાની થઈ આવક

  • વન્ય પ્રાણીઓ મુલાકાતીઓમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર 

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા પ્રાણીસંગ્રહાલયની વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.અને નેચર પાર્કને 40 લાખ 39 હજાર રૂપિયાની આવક થઇ હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા પ્રાણીસંગ્રહાલય વેકેશન દરમિયાન સહેલાણીઓ માટેની પસંદગી બન્યું હતું.વન્ય પ્રાણીઓને નજરે જોવા અને તેમના વિશે જાણકારી મેળવવા માટે વેકેશન દરમિયાન અંદાજિત 1.94 લાખ લોકોએ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી,જેના કારણે નેચર પાર્કને 40.93 લાખ જેટલી આવક થઈ હતી.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.ખાસ કરીને વાઘ,સિંહ,દીપડા,રીંછ,જળ બિલાડી સહિત પક્ષીઓ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.