સુરત : કોરોના સંક્રમણ વધતાં વિવિધ સમાજ-સામાજિક આગેવાનો સાથે મનપાની બેઠક મળી...

સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાના કેસ વધતા હવે વહીવટી તંત્ર સતર્ક થયું છે.

New Update
સુરત : કોરોના સંક્રમણ વધતાં વિવિધ સમાજ-સામાજિક આગેવાનો સાથે મનપાની બેઠક મળી...

સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાના કેસ વધતા હવે વહીવટી તંત્ર સતર્ક થયું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો સાથે બેઠક યોજી આ મામલે ચર્ચા કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા દિવસથી સુરત શહેર તથા જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરત શહેરના બાળકોમાં જોવા મળ્યા છે, ત્યારે હવે કોરોના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અલગ અલગ સમાજ તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠક દરમ્યાન શહેરમાં આઈસોલેસન સેન્ટર શરૂ કરવા જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન મનપા કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.