સુરત:મહિલાની છેડતી બાદ મધ્યસ્થી કરનાર યુવાનના હાથનું કાંડું કાપી નાખતા હુમલાખોર

યુનુસ નામના આરોપીએ તલવાર વડે વિશાલના હાથનું કાંડુ કાપી નાખ્યું હતું,જ્યારે અન્ય યુવાનો પર પણ  ચાર થી પાંચ જણાની ટોળકીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી

New Update

અમરોલીમાં મહિલાની છેડતીનો મામલો
ઈરફાન શેખ નામના યુવાને છેડતી કરી હતી
મહિલાના ઘરની બારીની તોડફોડ કરી હતી
મધ્યસ્થી કરનાર યુવાન પર ટોળકીએ તલવાર વડે કર્યો હુમલો 

વિશાલ દેવમોરારી નામના યુવાનના હાથનું કાંડું કાપી નાખ્યું
અન્ય બે યુવાનો પર પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો 

અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી 

સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલાની છેડતીની ઘટના બની હતી,જે બનાવમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું,જોકે મધ્યસ્થી બનેલા યુવાન પર માથાભારે હુમલાખોરોએ હુમલો કરીને હાથનું કાંડું કાપી નાખતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના અમરોલીમાં એક મહિલાની છેડતીની ઘટના બની હતી,જેમાં ઇરફાન નામના યુવાને મહિલાની છેડતી કરી હતી,જોકે મામલો વધુ વણસે ત્યાર પહેલાં આ ઘટના અંગે સમાધાન કરવામાં આવ્યું હતું,જેમાં વિશાલ દેવમોરારી નામના યુવાને મધ્યસ્થી કરી હતી,જોકે આ બાબતની રીસ રાખીને વિશાલ પર હુમલો કરવામાં આવ્યો હતો
અને યુનુસ નામના આરોપીએ તલવાર વડે વિશાલના હાથનું કાંડુ કાપી નાખ્યું હતું,જ્યારે અન્ય યુવાનો પર પણ  ચાર થી પાંચ જણાની ટોળકીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા,બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો દાખલ કર્યો હતો
અને આ ઘટનામાં ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી,જ્યારે અન્ય આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. હુમલાખોર આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.      
Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.