સુરત : અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનમાં બેંકની આડોડાઈ,માત્ર 25 શ્રદ્ધાળુઓની જ નોંધણી કરવામાં આવતા રોષ

બર્ફીલા બાબા અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. આ વખતે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાનાર છે.

New Update
  • અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન નો મામલો

  • જે એન્ડ કે બેંક બહાર યાત્રીઓમાં જોવા મળ્યો આક્રોશ

  • ગત વર્ષે બેંક દ્વારા 100 લોકોના રજીસ્ટ્રેશન કરવામાં આવતા હતા

  • માત્ર 25 લોકોના જ રજીસ્ટ્રેશન થતા યાત્રીઓમાં નારાજગી

  • બેંક બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને નોંધાવ્યો વિરોધ

Advertisment W3.CSS

સુરતમાં અમરનાથ યાત્રા માટેના મેડિકલ સિર્ટીફીકેટ સહિત રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે,પરંતુ જે એન્ડ કે બેંક દ્વારા યાત્રીઓની નોંધણીમાં આડોડાઈ કરવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

બર્ફીલા બાબા અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. આ વખતે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાનાર છે. જો કેયાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જે બંને કાર્યવાહી શરૂ થઈ ગઈ છેત્યારે સુરતના રિંગ રોડની જે એન્ડ કે બેંક એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર રજીસ્ટ્રેશનને લઈ શ્રદ્ધાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા મામલે શ્રદ્ધાળુઓએ આક્ષેપ કર્યો હતો કેદરેક વર્ષે બેંક 100 લોકોને રજીસ્ટ્રેશન કરી આપતી હતી.

આ વખતે તેઓ 25 લોકોને જ રજિસ્ટ્રેશન કરી આપે છે. જે નિર્ણયના વિરોધમાં બેંકની બહાર હર હર મહાદેવ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

Read the Next Article

સુરતની રેતીનો ઉપયોગ કરી ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું સી.આર.પાટીલનું “સેન્ડ પોટ્રેટ”

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોટ્રેટ બનાવ્યું હતું

New Update
  • ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું ચિત્ર

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરાયું

  • સુરતની રેતી વડે એક અઠવાડીયામાં બનાવ્યું સેન્ડ પોટ્રેટ

  • આગેવાનોએ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કર્યું

  • અગાઉ ચિત્રકારે અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા 

ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્ની દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા આ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું.

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીંબાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા છે.

બાબુ એડકકુન્ની સુરતની રેતીનો ઉપયોગ કરી કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યું છે. જે માટે એક અઠવાડિયા જેટલો લાગ્યો હતોત્યારે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલને સેન્ડ પોટ્રેટ અર્પણ કરાતા તેઓએ કેરળ સમાજનો આભાર માન્યો હતો.