સુરત : જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ, મહારાજ સાહેબના આશીર્વચનનો લ્હાવો લેતા શ્રાવકો

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીના નેજા હેઠળ પવિત્ર પર્યુષણ પર્વની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં આચાર્યશ્રીના દર્શનાર્થે સમાજના તેમજ અન્ય સમાજના લોકો પધાર્યા હતા અને આ પર્યુષણ પર્વની શરૂઆત કરવામાં આવી હતી. સુરત ચાતુર્માસ પ્રવાસ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ સંજય સુરાનાએ જણાવ્યું હતું કે સમગ્ર જૈન ધર્મના લોકો માટે આ આઠ દિવસના પર્યુષણ પર્વ અતિ મહત્વના હોય છે.કેમ કે પર્યુષણ પર્વના આઠમાં દિવસે બધા જૈન ધર્મના સંકળાયેલા લોકો ઉપવાસ કરતા હોય છે.
Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.