સુરત: ક્રાઇમ બ્રાન્ચે સીકલીગર ગેંગના ત્રણ આરોપીઓની કરી ધરપકડ, આંતરરાજ્ય ચોરીને આપતા હતા અંજામ

13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી.અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી

New Update
  • ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી સફળતા

  • ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયો

  • સીકલીગર ગેંગના ત્રણ આરોપી ઝડપાયા

  • આંતરરાજ્ય ચોરીને આપતા હતા અંજામ

  • ઈક્કો કાર ચોરીને કરતા હતા ઘરફોડ ચોરી   

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા પ્રાપ્ત થઇ છે,જેમાં આંતરરાજ્ય ચોરીને અંજામ આપતા સીકલીગર ગેંગના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

સુરત તથા વલસાડ જિલ્લામાંથી ઈક્કો કાર ચોરી કરી અલગ અલગ 13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી.અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીકલીગર ગેંગના ત્રણ આરોપીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી લીધા હતા.અને પોલીસે આરોપીઓ પાસેથી 3 ચાંદીની પાયલ3 ચાંદીના સિક્કા4 મોબાઇલ ફોન તથા ચોરી કરવાના સાધનો સહિત કુલ રૂપિયા 66 હજાર 968નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં આરોપીઓ વિરુદ્ધ સુરતવલસાડભીલાડવાપીમુંબઈમાં કુલ 28 જેટલા ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે.આ આરોપીઓમાં સતવીરસિંગ તથા અનિલસિંગ બંને સાળો બનેવી છે.

સતવીરસિંગ પાસે પૈસા ન હોવાથી મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા તેના સાળા અનિલસિંગને સુરત બોલાવ્યો હતો,અને અનિલસિંગ સાથે કામ કરતા મોહનસિંગને પણ સુરત બોલાવવામાં આવ્યો હતો,અને આરોપીઓએ ભેગા મળીને ચોકબજાર વિસ્તાર માંથી ઈક્કો કાર ચોરી કરી હતી.

અને સુરત,વલસાડ સહિતના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.વધુમાં જ્યારે પોલીસની ધોંસ વધતા આરોપીઓ કાર જેતે જગ્યા પર છોડીને ફરાર થઇ જતા હતા.હાલ પોલીસે ત્રણ સિકલીગરોની ધરપકડ કરીને તેઓની ગેંગના અન્ય સાગરીતોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.