સુરત: માથાભારે સજ્જુ કોઠારીને કાયદાનું થયું ભાન, પચાવી પાડેલ મિલકત મૂળ માલિકને પરત કરી

સુરત પોલીસે માથાભારે સજ્જુ કોઠારી પર કાયદાનો કોરડો વીંઝતા તેણે ગેરકાયદેસર કબ્જો જમાવેલ મિલકત મૂળ માલિકને પરત કરી હતી.

New Update
સુરત: માથાભારે સજ્જુ કોઠારીને કાયદાનું થયું ભાન, પચાવી પાડેલ મિલકત મૂળ માલિકને પરત કરી

સુરત પોલીસે માથાભારે સજ્જુ કોઠારી પર કાયદાનો કોરડો વીંઝતા તેણે ગેરકાયદેસર કબ્જો જમાવેલ મિલકત મૂળ માલિકને પરત કરી હતી.

સુરત શહેરના ઘોડદોડ રોડ ખાતે ડીસી માં રહેતા 46 વર્ષીય અનિલભાઈ મુરલીભાઈ છટવાણીનો પરિવાર નાનપુરા જમરૃખ ગલી ખાતે આવેલી મિલકત સિંધ બેકરી ચલાવતો હતો આ મિલકતનો તેઓ સિંઘ બેકરીના ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા તેમની બેકરી બંધ થઈ જતા આ મિલકત બંધ રહેતી હતી આશરે 100 વાર વાળી મિલકત પર આ વિસ્તારના માથાભારે સરજુ કોઠારી તથા તેના ભાઈઓએ વર્ષ ૨૦૧૫થી કબજો જમાવી દીધો હતો સરજુ કોઠારી વિરુદ્ધ ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી આ જાણ સમાચાર દ્વારા અનિલભાઈને થઈ હતી જેથી તેમને હિંમત મળતા તેમને પોલીસ કમિશનરને મળી લેખિત અરજી કરી હતી જેથી તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી ત્યારે કબજો કરનારને લેન્ડનો બીજો ગુનો દાખલ થશે તે અંગેની ખબર પડી જતાં તાત્કાલિક ગેરકાયદેસર કબજે કરેલી જગ્યાઓ ખાલી કરી દીધી હતી અને તેમાંથી તેઓને સામાન ખસેડી લીધો હતો

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.