સુરત : મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અડચણરૂપ 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરાયું

સુરત શહેરના ચોક બજારમાં આવેલા 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

New Update
સુરત : મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અડચણરૂપ 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરાયું

સુરત શહેરના ચોક બજારમાં આવેલા 200 વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં અડચણરૂપ હોવાથી આ ડિમોલિશન ની કામગીર કરવામાં આવી છે.

Advertisment

સુરત શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન હવે ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક ચર્ચાના પ્રેયર હોલનું આજરોજ ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં 200 વર્ષ જુના ચર્ચના પ્રેરક હોલના ડિમોલિશનની કામગીરીને પગલે એક તરફ ચર્ચ પ્રત્યે આસ્થા ધરાવતા ખ્રિસ્તી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ ચર્ચના ટ્રસ્ટીઓને વળતર ચૂકવ્યા બાદ સહમતિ મેળવીને જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Read the Next Article

ઓછો પગાર-કામનો વધુ બોજ..! : સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોનું રાજીનામું, શાસકો મૂંઝવણમાં...

તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે

New Update
  • મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

  • સ્મીમેર હોસ્પિટલના વધુ 6 તબીબોનું સામૂહિક રાજીનામું

  • ઓછો પગારસાધનોકામનો બોજ બન્યા મુખ્ય કારણો

  • આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો

  • વધુ 6 તબીબોના રાજીનામાથી શાસકો મૂંઝવણમાં મુકાયા

Advertisment

ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ છોડી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીમાનું આપી દીધું છે.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીનામું આપી દીધું છે. આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથીભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. જેના પરિણામેદર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છેઅને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેસ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે. તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.

Advertisment