સુરત: ડોક્ટરને મિલકત ખરીદવાનું પડ્યું મોંઘુ,ભેજાબાજોની જાળમાં ફસાતા રૂ.4.95 કરોડ ગુમાવ્યા

તબીબ મોહંમદ ઝાકીર ઐયુબ મેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી હતી અને GST કૌભાંડી ઈમ્તિયાઝ સદ્દામની પણ ધરપકડ કરી

New Update

સુરત કુખ્યાતGST કૌભાંડીએડોક્ટરસાથે કરી છેતરપિંડી

ડોક્ટર પાસેથી મિલકતના નામે રૂ.4.95 કરોડ પડાવ્યા

એક આરોપીની લાજપોર જેલમાંથી પોલીસે કરી ધરપકડ
પકડાયેલોઈમ્તિયાઝ હવાલા ઓપરેટર હોવાની ચર્ચા

સુરત ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

સુરતમાંGST કૌભાંડી અને લાજપોર જેલમાં બંધ આરોપીઓએ એક ડોક્ટર સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે,પોલીસે રૂપિયા4.95 લાખની છેતરપિંડીમાં ભેજાબાજઆરોપીઓની ધરપકડકરી તપાસ શરૂકરી હતી.

સુરતમાં રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર ભેજાબાજની માયાજાળમાં ફસાયા હતા,અને એક બંગલો સહિત 4.95 કરોડની રકમ ચિટર દ્વારા પડાવી લીધી હતીજેના કારણે તબીબ મોહંમદ ઝાકીર ઐયુબ મેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી હતી અનેGST કૌભાંડી ઈમ્તિયાઝ સદ્દામની પણ ધરપકડ કરી છે.રાંદેરના ગોરાટ રોડ પર અમી રો હાઉસમાં ડો.મોહંમદ ઝાકીર ઐયુબમેમણેને મિલકત ખરીદવીહોય તેમનો ભેટો ભેજાબાજો સાથે થયો હતો.\

અને ભેજાબાજોએ ડોકટરપાસેથી મિલકતનાસોદામાંરૂપિયા1.02 કરોડ રોકડા, 22.50 લાખ ચેકથી અને બંગલો રૂપિયા3.70 કરોડ મળી4.95 કરોડની રકમ પડાવી લીધી હતી.જ્યારે ડોકટરને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનોઅહેસાસ થતા તેઓએ આખરે જમીન લે- વેચનું કામ કરતામોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા ઉર્ફે ઉમર પીલા,ઈમ્તિયાઝ સદ્દામ ઈકબાલ બચાવ અને તેની માતા જીનંત ઈકબાલ બચાવસામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.

આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ભેજાબાજઈમ્તિયાઝ સદ્દામનીધરપકડ કરી છે. અગાઉ ઈમ્તિયાઝ સદ્દામ બચાવGST કૌભાંડમાં પણ પકડાયો હતો.જ્યારે આરોપીમોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા અઠવા પોલીસના છેતરપિંડીના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો.તેથી પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો હતો.ઉલ્લેખનીય છે કે આરોપીઈમ્તિયાઝ હવાલા ઓપરેટર હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે અને પોલીસ એ દિશામાં પણ તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

સુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં મળ્યો પહેલો ક્રમ,પાલિકા તંત્ર અને સફાઈ કર્મીઓમાં ખુશી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

New Update
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત અવ્વલ નંબરે

  • કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે મેળવ્યું સ્થાન

  • રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો એવોર્ડ કાર્યક્રમ

  • સ્વચ્છ સુપર લીગમાં સુરતને મળ્યું સ્થાન

  • મનપાના અધિકારીઓ અને સફાઈકર્મીઓએ કરી ઉજવણી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ થયો છે. જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.

આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા આ ખુશીની પળને મહાનગરપાલિકાના હોદ્દેદારો,સત્તાધીશો અને સફાઈકર્મીઓ દ્વારા મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.