સુરત : એક જ આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટ અને ચોરીનો ભોગ બન્યા,16.50 લાખના મુદ્દામાલની લૂંટ તો 25 લાખના હીરાની ચોરીથી ચકચાર

સુરતમાં અમદાવાદની આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની અને ચોરીની ઘટના બની છે. એક રાત્રે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી

New Update
  • 9 કલાકમાં બની લૂંટ અને ચોરીની ઘટના

  • બે કર્મચારીઓ બન્યા લૂંટ અને ચોરીનો ભોગ

  • નકલી પોલીસ બનીને 16.56 લાખની લૂંટને આપ્યો અંજામ

  • બીજી ઘટનામાં બસમાંથી આંગડિયાના 25 લાખના પાર્સલની ચોરી

  • પોલીસે બંને ઘટનાના ભેદ ઉકેલવા શરૂ કર્યો પ્રયાસ

સુરતમાં અમદાવાદની આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની અને ચોરીની ઘટના બની છે. એક રાત્રે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી,તેના નવ કલાક બાદ વૈશાલી ત્રણ રસ્તા પર જ બીજા કર્મચારીને શિકાર બનાવી 25 લાખનાં હીરાનું પાર્સલ ચોરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો.

અમદાવાદના આર.મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. 15મીએ મળસ્કે સાડા ચાર વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો.તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી. તેમાં ત્રણ શખ્સો હતા.

કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂપિયા 16.55 લાખની કિંમતનાં પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો.

લૂંટના બીજા દિવસે આ જ આંગડિયા પેઢીના અન્ય કર્મી સાથે ચોરીનો બનાવ બન્યો હતો.

પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ 16મીએ રાત્રે સવા આઠ વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓ દોડાદોડી કરી મૂકી હતી. લૂંટની તપાસ ચાલી રહી હતી,તેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે 24.10 લાખના હીરા અને 90,610 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો.

17મીની મળસ્કે સવા પાંચ વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી.આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે બેસેલા બે ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતી,તેના નવ કલાકમાં બીજા કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી. હાલ પોલીસ દ્વારા સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : થાઈલેન્ડમાં નોકરીની લાલચે યુવાનોને ફસાવી આચરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય કૌભાંડ,ત્રણ ભેજાબાજોની ધરપકડ

સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને 40 યુવાનોને ચાઇનીઝ ગેંગ દ્વારા કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા,

New Update
  • સાયબર ક્રાઈમ પોલીસે કર્યો આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ

  • યુવકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની આપી લાલચ

  • થાઈલેન્ડની જગ્યા મ્યાનમારમાં ગોંધી રાખવામાં આવ્યા

  • ભારત ભરમાંથી 40 યુવાનોને મોકલ્યા હતા થાઈલેન્ડ

  • સાયબર સેલની ટીમે ૩ આરોપીઓની કરી ધરપકડ

સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને 40 યુવાનોને ચાઇનીઝ ગેંગ દ્વારા કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવ્યા હતાપોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનોને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઇરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા.ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઇડી દ્વારા ભારત સહિત વિદેશોમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી.

આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના પટિયાલાના ઝીરક્પુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે. ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાંથી કુલ 40 યુવાનોને આ રીતે થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણી હોવાનું પણ જણાયું છે. છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે.