સુરત: પૂર્વ IT અધિકારી E-Bikeની ફેક્ટરીમાં ભાગીદાર બનવાની લાલચમાં છેતરાયા

સુરતમાં ઇલેક્ટ્રિક બાઈકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી પૂર્વ આઇટી અધિકારી સાથે કુલ રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી

New Update

સુરતમાં પિતા પુત્ર અને પુત્રવધૂએ કરી છેતરપિંડી 

ઈ બાઈક ફેક્ટરીમાં રોકાણના નામે કરી છેતરપિંડી 

પૂર્વ આઇટી અધિકારીને ભાગીદાર બનાવવાની આપી લાલચ 

રૂ.2.97 કરોડ મેળવી લઈને છેતરપિંડી કરી 

પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી  

સુરતમાં ઇલેક્ટ્રિક બાઈકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી પૂર્વ આઇટી અધિકારી સાથે કુલ રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતીજેમાં પોલીસે ફરાર સસરા અને પુત્રવધુની ગુરુગ્રામહરિયાણા ખાતેથી ધરપકડ કરી છે. 

સુરતમાં પૂર્વ આઈટી અધિકારીના ઘરે ભાડેથી રહેનાર પિતા-પુત્રએ તેમની જ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.પૂર્વ આઈ.ટી અધિકારી રાજેશ કુંદનલાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે.તેઓએ ઇકોનોમિક સેલમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કેઆરોપી મનીષ મનવીંદરસીંગ યુગ પિતા સાથે તેમના મકાનમાં ભાડેથી રહેતા હતા. જેથીરાજેશને આરોપીઓ સાથે ઓળખાણ સારી રીતે હતી. રાજેશને આરોપીઓ જણાવ્યું હતું કેતેઓ દિલ્હી ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવાની એપોનીક્સ લેબ્સ પ્રા.લી. કંપની ચલાવે છે. જેથીઆરોપીઓએ ફરિયાદીને સુરત ખાતે ઇ-બાઇકનો પ્લાન્ટ શરૂ કરવા માટે જણાવી તે પ્લાન્ટમાં રાજેશના દીકરાને ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી.રાજેશને વિશ્વાસ અને ભરોસો આપી તેમની નવી કંપનીમાં રોકાણ કરવા જણાવી અને તે રોકાણ ઉપર દર વર્ષે 8 ટકા વ્યાજની લાલચ તથા 20 ટકા શેર હોલ્ડર તરીકે રાજેશના પુત્રને બનાવવાની લોભામણી લાલચ આપી હતી. આરોપીઓએ એપોનીક્સ પ્રા.લી. કંપનીની સુરત ખાતે ઈ.વી. પ્રા.લિ. સ્થાપવા માટે રાજેશ પાસેથી બેન્ક મારફતે કુલ રૂપિયા 2 કરોડ 97 લાખ મેળવી લીધા હતા.અને રાજેશના પુત્ર દીક્ષાંત લાલને માત્ર કાગળ પર જ ડિરેક્ટર બનાવ્યા હતા. જોકેડિરેકટર તરીકે કોઈ સત્તા કે અધિકાર આપ્યો નહતો.અને કંપનીનો પ્લાન્ટ આરોપીઓએ પોતાની રીતે બંધ કરી દઈ રાજેશ સાથે કુલ રૂપિયા 2.97 કરોડની છેતરપિંડી કરી હતી. રાજેશે પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.જે અંગેની તપાસ ઇકો સેલને આપવામાં આવી હતી.જે ગુનામાં અગાઉ આરોપી મનીષ મનવીંદરસીંગ યુગની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે આ ગુનામાં ફરાર સસરા મનવીંદરસીંગ અને પુત્રવધુ શિલ્પી મનીષ ચુગની ગુડગાંવ હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી.

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.