સુરત: ઓલપાડના માસમા ગામની સીમમાંથી નકલી ઘીનું કારખાનું ઝડપાયું,1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

માસમા ગામે આવલી હની ઇન્ડસ્ટ્રીઝમાં વીર મિલ્ક પ્રોડક્ટ અને શ્રી આર. કે. એન્ટરપ્રાઇઝના નામે ફેક્ટરી ધરાવે છે. આ બંને ભાઇઓ 2016થી ડુપ્લિકેટ ઘી બનાવી વર્ષે 30 કરોડનું ટર્ન ઓવર કરતા હતા

New Update
  • ઓલપાડમાં અસલી ઘીના નામે નકલીનો વેપાર

  • બે સગા ભાઈઓનું કારસ્તાન

  • પોતાની ફેક્ટરીમાં બનાવતા હતા નકલી ઘી

  • સ્ટેટ મોનીટરીંગ સેલ અને ફૂડ વિભાગે કૌભાંડ ઝડપી પડ્યું

  • બે ભાઇઓની ધરપકડ સાથે રૂ.1.17 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત 

 સુરતના ઓલપાડ તાલુકાની માસમા જીઆઇડીસીમાં આવેલી બે સગા ભાઈને ફેક્ટરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 69 લાખની કિંમતનું 25 ટન ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડી પાડ્યો હતો.

સુરતના જહાંગીરપુરા વૈષ્ણવદેવી સ્કાયમાં રહેતા ભુપેશ ઈશ્વર ભરતીયા અને રાકેશ ઈશ્વર ભરતીયા ઓલપાડ તાલુકાના માસમા ગામે આવલી હની ઇન્ડસ્ટ્રીઝમાં વીર મિલ્ક પ્રોડક્ટ અને શ્રી આર. કે. એન્ટરપ્રાઇઝના નામે ફેક્ટરી ધરાવે છે. આ બંને ભાઇઓ 2016થી ડુપ્લિકેટ ઘી બનાવી વર્ષે 30 કરોડનું ટર્ન ઓવર કરતા હતા. વીર મિલ્ક પ્રોડક્ટસમાંથી આશરે 5000 કિલોગ્રામ ગાયનું ઘી2400 કિલોગ્રામ શુભ બ્રાન્ડ ગાયનું ઘી તથા 140 કિલોગ્રામ જેટલો ઘીના એસેન્સનો જથ્થો મળી કુલ 7.4 ટનનો જથ્થો કબજે લીધો હતો.

જ્યારે ત્યાંથી 200 મીટર પર આવેલી શ્રી આર.કે. એન્ટરપ્રાઇઝમાંથી 17.5 ટન વેજ ફેટફેટી એસિડમોનો એન્ડ ડાય ગ્લિસરાઇડ અને ઘીનું એસેન્સ મળી કુલ 25 ટનનો રૂપિયા 69 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બંને ભાઇઓની અટક કરી રૂપિયા 16 લાખ 59 હજાર 800ની મશીનરી રૂપિયા 7 લાખ 55 હજાર 841ની કિંમતનું પેકિંગ મટીરીયલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1 કરોડ 17 લાખ 97 હજાર 641નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.શુદ્ધ ઘીના નામે શુભલાભઓરિયોસાવરો બ્રાન્ડના નામે ઘી વેચાતું હતું.

ભરતીયા બંધુ દ્વારા ડુપ્લિકેટ ઘી બનાવવી બજારમાં વેચવાનો ગોરખધંધો 2016થી ચાલતો હતો. તેમનો આ ધંધો પકડાય નહીં તે માટે ચોક્કસ દિવસોમાં જ ફેક્ટરી ખોલીને ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતુ હતું.જેથી કોઈના ધ્યાન પર આવતું ન હતું. તેઓ મલેશિયાથી વેજફેટ મંગાવતા હતા અને ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડઅને ઘીના એસેન્સ નો ઉપયોગ કરી તેનું મિશ્રણ કરતા હતા.

પકડાયેલા બંને ભાઈઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ આ ઘી બનાવવાનું ક્યાંથી અને કોની પાસેથી શીખ્યા છે તે પણ એક મહત્વની બાબત છે કારણ કેઆ બંને જેમની પાસેથી આ ઘી બનાવવનું શીખ્યા છે તે ખૂબ જ સટીક છે. આ બંને ડુપ્લિકેટ ઘી એટલી સટીક રીતે બનાવતા હતા કે સામાન્ય તપાસમાં તે ઓરીજનલ ઘી જેવું જ જણાઈ આવે છે.

આ ઘી સામાન્ય રીતે રોજિંદા વપરાશમાં આવે તો ગળાની બીમારીઓ થઈ શકે છે એવું પણ જાણકારોનું કહેવું છે. ડુપ્લિકેટ ઘી 370 રૂપિયે કિલો ઘી વેચતા હતા. જે ઓરીજનલ ઘી કરતા 300થી 350 રૂપિયા સસ્તું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Read the Next Article

સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી 

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2 અલગ અલગ કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.