સુરત : ઓવરટેક કરવા જતાં યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી, છરીના ઘા ઝીકી યુવકની હત્યાથી ચકચાર...

સુરત શહેરના વરાછા વિસ્તારમાં નજીવી બાબતની બોલાચાલીમાં ખેલાયેલા ખૂની ખેલમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

New Update

સુરત શહેરના વરાછા વિસ્તારમાં નજીવી બાબતની બોલાચાલીમાં ખેલાયેલા ખૂની ખેલમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

સુરત શહેર તથા જિલ્લામાં લૂંટધાડ સહિત હત્યાની ઘટનાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છેત્યારે સુરતના વરાછા વિસ્તારના રામનગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નજીવી બાબતની બોલાચાલીમાં જેનીશ ચૌહાણ નામના યુવકની હત્યા કરી દેવાઈ હતી. આ યુવક પોતની મોપેડ લઈને જઈ રહ્યો હતોજ્યાં તે ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.

જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. બનાવની જાણ થતાં જ ACP, DCP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતોજ્યાં ફરજ પરના હજાર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતોત્યારે હાલ તો આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.