સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગથી ચકચાર,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ,પોલીસે શરુ કરી તપાસ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના

  • યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું

  • પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી

  • ગોળી વાગતા વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તે દિશામાં તપાસ 

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ચકચારી ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી. ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,અને ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories