સુરત : સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી શરૂ

સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

New Update
  • અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટીની કામગીરીનો પ્રારંભ

  • સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં શરૂ કરાઈ કામગીરી

  • સિવિલમાં વિનામૂલ્યે મળશે ફિટનેશ સર્ટિફિકેટ

  • 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરનાને નહીં મળે સર્ટિફિકેટ

  • ગર્ભવતી મહિલા,હૃદયરોગના દર્દીઓને પણ નહીં મળે સર્ટિફિકેટ

  • ગત વર્ષે 4100 થી ફિટનેશ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા

સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.જોકે 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલા તેમજ બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને સર્ટિફિકેટ ઇસ્યુ કરશે નહીં.

પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 39 દિવસ સુધી ચાલશે.આ યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરાયું છે. ત્યારે આ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું આજથી એટલે કે 11મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. જે આગામી 2 મહિના સુધી ચાલશે.આ ફિટનેશ સર્ટિફિકેટમાં બ્લડ રિપોર્ટ,યુરિન રિપોર્ટ, CBC, એક્સ-રે અનેECG કરવામાં આવે છેતથા જોECG ખરાબ આવે તો 2ઇકો પણ કરવામાં આવે છે.

સુરતમાં નવી સિવિલ અને પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. નવી સિવિલ કેમ્પસમાં જુના એમ.આઈ.સી.યુમાં આ કામગીરી ચાલી રહી છે. ફિટનેસ અંગેની કામગીરી એક છત નીચે તમામ પ્રકારની સુવિધા સાથે થઈ રહી છે. અમરનાથ યાત્રાળુઓને તકલીફ ના પડે તે માટે ત્યાં કેસ પેપર બારીલેબોટરીઈ.સી.જી મશીન અને ડોકટર સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.

હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરીન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે.જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિઓએ જરૂર પડે તો ઈ.સી.જી કરાવવું પડશે. તથા જરૂર જણાશે તો મેડિસિન વિભાગને પણ રીફર કરાશે. જોકે સિવિલમાં થતી જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાબાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 4100થી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવ્યા હતા.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.