સુરત: ઉમરપાડામાં જળબંબાકાર , 4 કલાકમાં 14 ઇંચ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

New Update

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ડાયમંડ નગરી ગણાતા સુરતમાં પણ મેઘમહેર જોવા મળી હતી. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વાસ્તવમાં ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. તો આજે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં જ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. 14 ઇંચ વરસાદને કારણે ઉમરપાડામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂના ઉમરપાડા રસ્તાઓ પરની દુકાનોમાં પાણી ભરાયાં છે. આ સાથે લીમરવાણથી કદવાલી તરફ જતાં માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે ચારણી ગામથી તાબદા, ભૂતભેડા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ સાથે અહીંની મોહન નદી અને વીરા  નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ તરફ નદીઓના પાણી ઘૂસી જતાં અનેક ગામ હાલ સંપર્ક વિહોણા બન્યા છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.