સુરત : ગૌ સેવકે પુત્રના લગ્નમાં અનોખો ચીલો ચાતર્યો,ચાંદલાની રકમ ગૌ શાળામાં કરી દાન

 સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.

New Update
  • પિતાએ પુત્રના લગ્નમાં સેવાનું આપ્યું અનોખું ઉદાહરણ

  • લગ્ન પ્રસંગમાં ગૌ સેવકોએ આપી સેવા

  • ગૌ સેવકે પુત્રના લગ્નની ચાંદલાની રકમ ગૌશાળાને કરી દાન

  • કેટરર્સને બદલે ગૌ સેવકોએ લગ્નમાં સેવાનું આપ્યું ઉત્તમ ઉદાહરણ

  • કેટરર્સના ખર્ચના રૂપિયા પણ ગૌ શાળામાં કરવામાં આવ્યા દાન  

સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.

સુરતમાં એક પિતા રમેશ રૂડાનીએ પુત્રના લગ્નમાં નવી પહેલની શરૂઆત કરી હતી.વર્તમાન સમયમાં  લગ્નમાં થતા ખોટા ખર્ચને રોકવા માટે તેમજ લગ્નની ધનરાશિ કોઈ સત્કર્મમાં વપરાય તે માટે એક ગૌ સેવકે પોતાના પુત્રના લગ્ન અનોખી રીતે કર્યા હતા.જેમાં રસોઈથી માંડીને તમામ કામગીરી ગૌ સેવકોએ કરી હતી.અને કેટરર્સને આપવાના રૂપિયા ગૌશાળામાં દાન કરી શકાય તેવા ઉમદા હેતુથી તેઓએ સેવાનું નવું સ્વરૂપ દર્શાવ્યું હતું.એટલું જ નહીં પણ લગ્નમાં પરંપરાગત લખવામાં આવતા ચાંદલાની રકમ પણ ગૌ શાળામાં આપવામાં આવી હતી.આમ ગૌ સેવક રમેશ રૂડાનીએ પુત્રના લગ્નમાં સેવા લગ્નની સુવાસ પ્રસરાવી હતી.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.