સુરત : ગૌ સેવકે પુત્રના લગ્નમાં અનોખો ચીલો ચાતર્યો,ચાંદલાની રકમ ગૌ શાળામાં કરી દાન

 સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.

New Update
  • પિતાએ પુત્રના લગ્નમાં સેવાનું આપ્યું અનોખું ઉદાહરણ

  • લગ્ન પ્રસંગમાં ગૌ સેવકોએ આપી સેવા

  • ગૌ સેવકે પુત્રના લગ્નની ચાંદલાની રકમ ગૌશાળાને કરી દાન

  • કેટરર્સને બદલે ગૌ સેવકોએ લગ્નમાં સેવાનું આપ્યું ઉત્તમ ઉદાહરણ

  • કેટરર્સના ખર્ચના રૂપિયા પણ ગૌ શાળામાં કરવામાં આવ્યા દાન  

Advertisment

 સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.

સુરતમાં એક પિતા રમેશ રૂડાનીએ પુત્રના લગ્નમાં નવી પહેલની શરૂઆત કરી હતી.વર્તમાન સમયમાં  લગ્નમાં થતા ખોટા ખર્ચને રોકવા માટે તેમજ લગ્નની ધનરાશિ કોઈ સત્કર્મમાં વપરાય તે માટે એક ગૌ સેવકે પોતાના પુત્રના લગ્ન અનોખી રીતે કર્યા હતા.જેમાં રસોઈથી માંડીને તમામ કામગીરી ગૌ સેવકોએ કરી હતી.અને કેટરર્સને આપવાના રૂપિયા ગૌશાળામાં દાન કરી શકાય તેવા ઉમદા હેતુથી તેઓએ સેવાનું નવું સ્વરૂપ દર્શાવ્યું હતું.એટલું જ નહીં પણ લગ્નમાં પરંપરાગત લખવામાં આવતા ચાંદલાની રકમ પણ ગૌ શાળામાં આપવામાં આવી હતી.આમ ગૌ સેવક રમેશ રૂડાનીએ પુત્રના લગ્નમાં સેવા લગ્નની સુવાસ પ્રસરાવી હતી. 

Advertisment
Read the Next Article

ઓછો પગાર-કામનો વધુ બોજ..! : સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોનું રાજીનામું, શાસકો મૂંઝવણમાં...

તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે

New Update
  • મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

  • સ્મીમેર હોસ્પિટલના વધુ 6 તબીબોનું સામૂહિક રાજીનામું

  • ઓછો પગારસાધનોકામનો બોજ બન્યા મુખ્ય કારણો

  • આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો

  • વધુ 6 તબીબોના રાજીનામાથી શાસકો મૂંઝવણમાં મુકાયા

Advertisment

ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ છોડી વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીમાનું આપી દીધું છે.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોએ રાજીનામું આપી દીધું છે. આ તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથીભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગારઅપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. જેના પરિણામેદર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છેઅને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ધરાવતી સ્મીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 તબીબોના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેસ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછતને કારણે હાલના તબીબો પર વધુ દબાણ આવે છે. તેમજ દર્દીઓ પર ધ્યાન ન આપતા હોવાની ફરીયાદ પણ ઉઠે છે.

Advertisment