સુરત : હાર્દિક પટેલે સરદાર પટેલ ફાર્મ ખાતે વિવિધ પ્રશ્નોને લઇ લોકો સાથે કરી ચર્ચા

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરતની મુલાકાતે, અલગ-અલગ મુદ્દે સરદાર ફાર્મ ખાતે યોજી મીટીંગ

New Update
સુરત : હાર્દિક પટેલે સરદાર પટેલ ફાર્મ ખાતે વિવિધ પ્રશ્નોને લઇ લોકો સાથે કરી ચર્ચા

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સુરતની મુલાકાતે આવ્યા. અલગ-અલગ મુદ્દાઓને લઈને લોકો સાથે સરદાર ફાર્મ ખાતે મીટીંગ યોજી હતી.

હાર્દિક પટેલે તાજેતરમાં પસાર થયેલ obc સંશોધન આરક્ષણ બિલને સમર્થન આપ્યું હતું હાર્દિકે રાજ્યની અંદર પટેલ,રાજપૂત, બ્રાહ્મણ,સોની,લુહાના, સમાજ જે લોકો સુવર્ણ કહેવાય છે એનું આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ જે સમાજ ગરીબ હોય એ લોકોને OBC આધારિત સહયોગ મળવો જોઈએ તેવું નિવેદન આપ્યું હતું

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બે દિવસ સુરતની મુલાકાતે છે શહેરના યોગી ચોક ખાતે સરદાર પટેલ ફાર્મમાં હાર્દિક પટેલે લોકો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું. લોકોના પ્રશ્નો સાંભળી તેમજ શાળા સંચાલકો દ્વારા વસૂલવામાં આવતી ફી અંગે આંદોલન કરવા આયોજન કર્યું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સુરત ખાતે અલગ-અલગ મુદ્દાઓને લઈને લોકોને મળવા નો પ્રયાસ કરું છું. કોરોના બાદ મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સુરત જેવું આર્થિક મજબૂત શહેરમાં મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતિ ખરાબ છે. 2017 માં પણ વાયદો કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા તમામ મકાનો દસ્તાવેજો કરી આપીશું હજુ સુધી દસ્તાવેજો નથી થયા તો આ તમામ મકાનોનું દસ્તાવેજ રાજ્ય સરકાર ખાસ કરીને કલેકટરના આદેશથી કરે એવી મારી વિનંતી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જે OBC સંશોધન બિલને હાર્દિકે આવકર્યો હતો અને રાજ્યની અંદર પટેલ, રાજપૂત, બ્રાહ્મણ, સોની, લુહાના, સમાજ જે સુવર્ણ કહેવાય છે તેનું આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ તેવું પણ હાર્દિકે જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.