સુરત : જો, તમે વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ મળશે જાહેર સ્થળોએ પ્રવેશ.

કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે

New Update
સુરત : જો, તમે વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ મળશે જાહેર સ્થળોએ પ્રવેશ.

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં લોકોને આજથી જાહેર સ્થળે પ્રવેશ માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

સુરતમાં દિવાળી બાદ કોરોના સંક્રમણ માથુ ઉચકી રહ્યું છે, ત્યારે તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. જેમાં બહાર ગામ ફરવા ગયેલા કે, બહારથી આવતાં તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ સુરત શહેરમાં લોકોને આજથી જાહેર સ્થળે પ્રવેશ માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

જોકે, શહેરના તમામ ઝોન, મહાનગરપાલિકાની કચેરીઓ કે, અન્ય જાહેર સ્થળોએ લોકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મોબાઇલ એપથી ક્યુઆર કોડની ચકાસણી અને ફીઝીકલ ચેકીંગ પણ કરાય રહી છે. ઉપરાંત લાઈબ્રેરી, સિટી બસ અને BRTS બસમાં પ્રવેશતા લોકોનું વેક્સિન સર્ટિફિકેટ ચકાસવામાં આવી રહ્યું છે. જોકે, પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે 84 દિવસનો સમય પૂર્ણ થયો ન હોય તેવા લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Read the Next Article

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ,વિડીયો વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

New Update
  • સ્મીમેર હોસ્પિટલની બેદરકારી

  • દર્દીની સારવારમાં દાખવી બેદરકારી

  • હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ

  • મનપા દ્વારા કરવામાં આવી કાર્યવાહી

  • મનપાએ આપ્યા તપાસના આદેશ 

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સમયસર સારવાર આપવામાં આવી નહોવાનો એક વિડીયો વાયરલ થયો હતો,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી મહાનરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું,અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા આ ગંભીર બાબત અંગે સૂચનાઓ આપી હતી,અને હોસ્પિટલનાRMOને આ અંગે સૂચના આપીને દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે તેમ તેઓએ જણાવ્યું હતું.તેમજ ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ તેઓએ હોસ્પિટલના તંત્રને આપી હતી.