સુરત : જો, તમે વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ મળશે જાહેર સ્થળોએ પ્રવેશ.

કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે

New Update
સુરત : જો, તમે વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ મળશે જાહેર સ્થળોએ પ્રવેશ.

સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં લોકોને આજથી જાહેર સ્થળે પ્રવેશ માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

Advertisment

સુરતમાં દિવાળી બાદ કોરોના સંક્રમણ માથુ ઉચકી રહ્યું છે, ત્યારે તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. જેમાં બહાર ગામ ફરવા ગયેલા કે, બહારથી આવતાં તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ સુરત શહેરમાં લોકોને આજથી જાહેર સ્થળે પ્રવેશ માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

જોકે, શહેરના તમામ ઝોન, મહાનગરપાલિકાની કચેરીઓ કે, અન્ય જાહેર સ્થળોએ લોકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મોબાઇલ એપથી ક્યુઆર કોડની ચકાસણી અને ફીઝીકલ ચેકીંગ પણ કરાય રહી છે. ઉપરાંત લાઈબ્રેરી, સિટી બસ અને BRTS બસમાં પ્રવેશતા લોકોનું વેક્સિન સર્ટિફિકેટ ચકાસવામાં આવી રહ્યું છે. જોકે, પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે 84 દિવસનો સમય પૂર્ણ થયો ન હોય તેવા લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Advertisment
Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

Latest Stories