સુરત: હીરા મંદીની અસર,નાના યુનિટો બંધ થઈ જતા કારખાનેદારોએ ઘંટીઓ સ્ક્રેપમાં વેચવા બન્યા મજબૂર

હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા

New Update
  • હીરા બજારમાં મંદીની ગંભીર અસર

  • કારીગરોએ હીરાનો ધંધો કર્યો બંધ

  • નાના કારખાનેદારો ઘંટી વેચવા બન્યા મજબૂર

  • સ્ક્રેપ માર્કેટ ઘંટીના ભરાવાથી ઉભરાયું

  • સ્ક્રેપમાં ઘંટીની આવક વધી પરંતુ કોઈ ખરીદનાર નથી 

સુરતમાં હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છેજેની આર્થિક-સામાજિક અસરો જોવા મળી રહી છે.મંદીની અસરને પગલે નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે.

સુરતમાં વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં હીરા મંદીની અસર દેખાઈ રહી છે. હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છેઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ આવતું નથી. છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે.

તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે. કોઈએ નાના-મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે. વરાછા વિસ્તારમાં મહાદેવ નગરસવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપ ના ગોડાઉનો આવેલા છે.જે હાલમાં હીરા ઘસવાની ઘંટીથી ઉભરાઈ રહ્યા છે.

Latest Stories