સુરત : લો કરો વાત, નર્મદ યુની.ના MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને બી.પી. માપતા પણ નથી આવડતું..!

New Update
સુરત : લો કરો વાત, નર્મદ યુની.ના MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને બી.પી. માપતા પણ નથી આવડતું..!

VNSGU સંલગ્ન મેડીકલ કોલેજના પરિણામ જાહેર

MBBSમાં 795માંથી 122 વિદ્યાર્થીઓ થયા નાપાસ

નાપાસ વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને કરાય રજૂઆત

સુરતમાં વીર નર્મદ યુનિવર્સીટી સંલગ્ન મેડીકલ કોલેજોનું એમ.બી.બી.એસ. ત્રીજું વર્ષ પાર્ટ-૧નું પરિણામ જાહેર થયું હતું. જેમાં ૭૯૫માંથી ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ ૮૪.૨૮ ટકા આવ્યું છે, જ્યારે નાપાસ થનારા ૧૨૨માંથી ૪૧ જેટલા વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીમાં કુલપતિ પાસે પહોચ્યા હતા, જ્યાં તેમણે કુલપતિને આવેદન આપી ફરી પરીક્ષા લેવા માંગ કરી હતી. જેથી કુલપતિએ તપાસ કરતા જણાયું હતું કે, વિધાર્થીઓને બ્લડ પ્રેશર માપવા સહીતની બેઝીક બાબતો પણ પ્રેક્ટીકલ પરીક્ષામાં આવડતી ન હતી,

જેથી તેમને નાપાસ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એમબીબીએસ થર્ડ યર પાર્ટ-૧માં ૭૯૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૭૬૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે ૧૨૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ ઉપરાંત ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ યુનિવર્સીટીનું એમબીબીએસ થર્ડ યર પાર્ટ-૧ની પરીક્ષાનું પરિણામ ૮૪.૨૮ ટકા આવ્યું હતું. તો બીજી તરફ, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ સારી રીતે પ્રેક્ટીકલ કરી શકે તે માટે ગર્વમેન્ટ કોલેજના પ્રશાસન અને યુનિવર્સીટી બન્ને વચ્ચે સંકલન કરીને જરૂરી સેમીનાર તેમજ જરૂરી પ્રયત્નો કરવામાં આવશે.

Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.