સુરત : રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી પાલિકાની ટીમ સાથે માલધારીઓની દાદાગીરી, દોરડા કાપી ગાય છોડાવી ગયા

પાલિકાની ટીમ સાથે માલધારીઓએ બળપ્રયોગ કરીને દોરડા કાપી ગાયને છોડાવીને ભગાવી ગયા હતા, જે ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી

New Update

સુરતમાં રખડતા ઢોરોનો ત્રાસ, પાલિકા દ્વારા ઢોરોને ડબ્બામાં પુરવાની કરાઈ કામગીરી.

Advertisment

સુરતમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી દરમિયાન માલધારીઓએ પાલિકાની ટીમ સાથે દાદાગીરી કરી હતી, અને દોરડા કાપીને ગાય છોડાવી ભગાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સુરતમાં રખડતા ઢોરના ત્રાસથી લોકોને રાહત આપવા માટે મહાનગરપાલિકા દ્વારા ઢોરોને ડબ્બે પુરાવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે કામગીરી અંતર્ગત પાલિકાની ટીમ દ્વારા કાપોદ્રા બ્રિજ નીચે બે રખડતી ગાયોને પકડવામાં આવી હતી, જોકે આ અંગેની જાણ માલધારીઓને થતા તેઓએ દોડી આવ્યા હતા.

અને પાલિકાની ટીમ સાથે બળપ્રયોગ કરીને દોરડા કાપી ગાયને છોડાવીને ભગાવી ગયા હતા, જે ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી,અને પોલીસે બનાવ અંગે જરૂરી તપાસ શરૂ કરી હતી. 

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment