સુરત : રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી પાલિકાની ટીમ સાથે માલધારીઓની દાદાગીરી, દોરડા કાપી ગાય છોડાવી ગયા

પાલિકાની ટીમ સાથે માલધારીઓએ બળપ્રયોગ કરીને દોરડા કાપી ગાયને છોડાવીને ભગાવી ગયા હતા, જે ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી

New Update

સુરતમાં રખડતા ઢોરોનો ત્રાસ, પાલિકા દ્વારા ઢોરોને ડબ્બામાં પુરવાની કરાઈ કામગીરી.

Advertisment

સુરતમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી દરમિયાન માલધારીઓએ પાલિકાની ટીમ સાથે દાદાગીરી કરી હતી, અને દોરડા કાપીને ગાય છોડાવી ભગાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સુરતમાં રખડતા ઢોરના ત્રાસથી લોકોને રાહત આપવા માટે મહાનગરપાલિકા દ્વારા ઢોરોને ડબ્બે પુરાવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે કામગીરી અંતર્ગત પાલિકાની ટીમ દ્વારા કાપોદ્રા બ્રિજ નીચે બે રખડતી ગાયોને પકડવામાં આવી હતી, જોકે આ અંગેની જાણ માલધારીઓને થતા તેઓએ દોડી આવ્યા હતા.

અને પાલિકાની ટીમ સાથે બળપ્રયોગ કરીને દોરડા કાપી ગાયને છોડાવીને ભગાવી ગયા હતા, જે ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી,અને પોલીસે બનાવ અંગે જરૂરી તપાસ શરૂ કરી હતી. 

Advertisment
Read the Next Article

સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય 

Advertisment

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈને FIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથે FIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Advertisment