સુરત: જાહેરમાં કચરો ફેંકનાર પર મહાનગર પાલિકા કરશે દંડનીય કાર્યવાહી
શહેરમાં સોસાયટીની બહાર જમા થતાં કચરાના ઢગ દૂર કરવા સુરત મહાનગરપાલિકાએ જાહેરમાં કચરા ફેકનારો પર દંડીની કાર્યવાહી હાથ ધરી છે.
BY Connect Gujarat Desk11 Jan 2023 6:22 AM GMT
X
Connect Gujarat Desk11 Jan 2023 6:22 AM GMT
સુરત શહેરમાં સોસાયટીની બહાર જમા થતાં કચરાના ઢગ દૂર કરવા સુરત મહાનગરપાલિકાએ જાહેરમાં કચરા ફેકનારો પર દંડીની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકાએ જાહેરમાં કચરા ફેકનારો પર દંડીની કાર્યવાહી હાથ ધરી છે. સ્વચ્છતા સંરક્ષણને લઈને શહેરભરમાં સફાઈ ઝુંબેશ શરૂ કરી છે.જ્યારે સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી સમસ્યા હોય સોસાયટીના બહાર જાહેરમાં થતા કચરાના ઢગલા. આ કચરાના ઢગલા નાબૂદ કરવા માટે અલગ અલગ સ્પોટ પર કર્મચારીઓ તૈનાત કરી વોચ રાખી રહ્યા છે. જાહેરમાં કચરાનાકનારા લોકોને અટકાવી ફરી કચરો ન નાખવા સમજ આપવામાં આવી રહી છે.નાખેલો કચરો ફરી લોકો પાસેથી જ ઉઠાવી ડોર ટુ ડોર ગાડીમાં નાખવા અપીલ કરાઈ રહી છે. ફરી જાહેરમાં કચરો ન ફેકે દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે
Next Story