સુરત : નવી સિવિલ હોસ્પિટલની ઇમારત બની જર્જરિત, દર્દીઓ-તબીબો-સ્ટાફના જીવ સામે જોખમ : કાયદા કથા

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

New Update

નવી સિવિલ હોસ્પિટલની ઇમારત થઈ છે જર્જરિત

જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ

કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણાં પ્રદર્શન

દર્દીઓતબીબો-સ્ટાફના જીવ સામે જોખમ મંડરાતું

આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતના ધરણાની ચીમકી

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરતની નવી સિવિલ હોસ્પિટલ શહેર તથા જિલ્લા બહારથી આવતા મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની ઇમારત જર્જરિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓતબીબો અને સ્ટાફના જીવ સામે જોખમ મંડરાઈ રહ્યું છે. તેમ છતાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો હોસ્પિટલ ખાલી કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છેત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કાયદા કથા ટીમના સભ્યોએ હોસ્પિટલ પ્રસાશન જાણે કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હો તેવો આક્ષેપ કર્યો હતો. અગાઉ પણ હોસ્પિટલ તંત્રને લીગલ નોટિસ પાઠવવામાં આવી હતીત્યારે હવે,જો સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારત ખાલી નહીં કરાવાય તો અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શન કરવાની કાયદા કથા ટીમ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

સુરત : યવુતીના આપઘાત મામલામાં દુષ્પ્રેરણ કરનાર સગીરવયના આરોપીની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ

સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

New Update
  • કતારગામમાં યુવતીના આપઘાતનો મામલો

  • 19 વર્ષીય આશાસ્પદ યુવતીએ કર્યો હતો આપઘાત

  • પરિવારજનોએ દીકરીને હેરાન કરનાર પર કર્યા હતા આક્ષેપ

  • પોલીસે સગીરવયના યુવક અને તેના પિતાને દબોચી લીધા 

  • પોલીસે યુવક અને યુવતીના ફોન તપાસ અર્થે FSLમાં મોકલ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડીયાના આપઘાત મામલે પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દર્જ કર્યો હતો,અને આરોપી સગીરવયના યુવકની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 19 વર્ષીય દીકરી નેનુ છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.જોકે નેનુએ ગત તારીખ  13/07/2025ના રોજ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.જોકે નેનુએ ભરેલા અંતિમ પગલાથી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી,અને સૌ કોઈ દ્વિધામાં હતા કે નેનુએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હશે.!

પોલીસે પ્રથમ તો આ ઘટનામાં અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.જોકે યુવતીના પિતા અને તેના ભાઈએ એક યુવક પર નેનુને પરેશાન કરી ત્રાસ આપતો હોવાના આક્ષેપ કર્યા હતા.અને પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.ત્યારબાદ પોલીસે તપાસનો દોર તેજ કર્યો હતો.

આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છેજ્યારે સગીરવયના પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે પિતાની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાત કરનાર યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટેFSLમાં મોકલવામાં આવ્યો છેજેથી મેસેજકોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે. આરોપી પુત્રની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં પાટીદાર યુવતી નેનુના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.દેસાઈ સમાજના આગેવાન સહિત સમાજના લોકોએ ભેગા મળીને ઘટના અંગે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે નેનુ અને યુવક બંને એકબીજાના સંપર્કમાં હતા,અને એકબીજાથી ખુબજ સારી રીતે પરિચિત હતા,યુવક અને યુવતી વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા થયેલી વાતચીતના સ્ક્રીનશોર્ટ પણ તેઓએ પોલીસ કમિશનર સમક્ષ રજુ કર્યા હતા.અને જણાવ્યું હતું કે યુવકે યુવતીને સોશિયલ મીડિયા  પર બ્લોક કરી દીધા બાદ તેણીએ તેને ઈમેલ દ્વારા મેસેજ કર્યા હતા,જેના સ્ક્રીનશોર્ટ પણ રજુ કરવામાં  આવ્યા હતા,અને પોલીસ અટકાયતમાં રહેલા યુવક અને તેના પિતાને મુક્ત કરવાની માંગ કરી હતી.