સુરત : ઓલપાડના ખેડૂતે કરી વાંસદાની સેલેમ હળદરની સફળ ખેતી...

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામના ખેડૂતે 2 વિઘાના ખેતરમાં પોતાની સૂઝબૂઝથી હળદરની સફળ ખેતી કરી બતાવી છે.

New Update
સુરત : ઓલપાડના ખેડૂતે કરી વાંસદાની સેલેમ હળદરની સફળ ખેતી...

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામના ખેડૂતે 2 વિઘાના ખેતરમાં પોતાની સૂઝબૂઝથી હળદરની સફળ ખેતી કરી બતાવી છે. માત્ર 10 મહિનાના ગાળામાં તૈયાર થયેલ હળદરના પાકથી ખેડૂતને સારી આવક થશે તેમ છે.

આમ તો સુરત જિલ્લામાં મોટાભાગના ખેડૂતો શેરડી, ડાંગર સહિત અન્ય શાકભાજીની ખેતી કરતા હોય છે, ત્યારે ઓલપાડ તાલુકાના અણીતા ગામના કર્મવીરસિંહ સોલંકી નામના ખેડૂતે પોતાના 2 વિધાના ખેતરમાં સાહસ કરી હળદરની ખેતી કરી બતાવી છે. ખેડૂતે જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી ઈચ્છી રહ્યા હતા કે, પોતાના ખેતરમાં કઈક અલગ ખેતી કરે જેથી કર્ણાટક અને ચેન્નાઇના ખેડૂતોની ખેતી જોઈ તેઓએ હળદરની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. પણ આ ખેતી તેમના માટે ઘણી પડકારરૂપ હતી. કારણ કે, તેઓની જમીન આ ખેતી માટે માફક ન હતી, જેથી તેઓને જમીનમાં પુષ્કળ ગૌ છાણનો ઉપયોગ કરી જમીનને યોગ્ય બનાવી હતી. ત્યારબાદ વાંસદાથી 45 મણ સેલેમ નામની હળદરની જાતનું બિયારણ લાવી ખેતી શરૂ કરી હતી. ઓછા ખર્ચમાં માત્ર 10 મહિનામાં જ હળદરનો પાક તૈયાર થઈ ગયો હતો. પાક જોતા 800 મણ જેટલું હળદર થશેનો ખેડૂતે અંદાજ લગાવ્યો હતો. જોકે, હાલ જિલ્લામાં હળદરનું માર્કેટ ન હોવાથી ખેડૂત પોતે જ હળદરનું માર્કેટિંગ અને વેચાણ કરશે.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.