Connect Gujarat
સુરત 

સુરત : અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ થતાં એક વ્યક્તિનું મોત, રીઢા ગુનેગારની ધરપકડ

નાનપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે 4 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે 4 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં ગેંગવોરના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં જેલવાસ ભોગવી રહેલા આરીફ મીંડીના લાલ ગેટ વિસ્તારમાં રહેતા જમાઈ હાજી અંજીત પર મોડી રાત્રે ફૈયુઝ શુકરીએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં હાજી અંજીતને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તાજેતરમાં જ પેરોલ પર છૂટેલા ફૈયુઝ શુકરી રીઢો ગુનેગાર છે. તેના પર હત્યાના પ્રયાસ, લૂંટ અને મારામારી સહિતના ગુન્હા નોંધાયા છે. જોકે, ફૈયુઝ શુકરી આરીફ મીંડીનો ભાણેજ જમાઈ થાય છે, અને તેણે અંગત અદાવતમાં આસિફ મીંડીના જમાઈ પર ફાયરિંગ કરતાં લાલગેટ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે હાલ તો લાલ ગેટ પોલીસે અરોપી ફૈયુઝ શુકરીની ધરપકડ કરી તેના વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story