સુરત : વરસાદી પાણી ઓસરતા મનપા દ્વારા સાફ-સફાઈ સહિત દવાના છંટકાવની યુદ્ધના ધોરણે કામગીરી...

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી.

New Update

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકેહવે પાણી ઓસરતા મનપા દ્વારા સાફ-સફાઈ સહિત દવાના છંટકાવની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહે છે.

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી. જેને લઈને ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકેહવે ધીમે-ધીમે પાણી ઓરસરવાનું શરૂ થયું છેતે વિસ્તારમાં મનપા દ્વારા સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લીંબાયત મીઠી ખાડી પાસે હજુ પણ પાણી ભરાયેલા છે.

લીંબાયતમાં મીઠી ખાડીના આસપાસ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જોકેધીમે ધીમે પાણી ઓરસવાના શરૂ થયા છે. હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે-ધીમે ઘટી રહ્યા છે. તો બીજી તરફજે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છેતે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા જે વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં સાફ સફાઈમેડિકલ અને દવા છટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત મેડિકલની 3 ટીમફાયરની ટીમ કાર્યરત છે. હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો છેત્યાં સપ્લાય સીસ્ટમ પણ કાર્યરત છે. બોટ મારફત દૂધપાણી અને ફૂડ પેકેટ પહોચાડવાની કામગીરી એનજીઓ અને સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : વધુ એક રત્નકલાકારનો આપઘાત,આર્થિક સંકડામણમાં પગલું ભર્યાની આશંકા

મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું

New Update
  • રત્નકલાકારના આપઘાતની ઘટનામાં વધારો

  • વધુ એક રત્નકલાકારે જીવનલીલા સંકેલી

  • 22 વર્ષીય યુવકે ઝેરી દવાના પીધા ઘૂંટ

  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત

  • આર્થિક સંકડામણમાં અંતિમ પગલું ભર્યું 

સુરતનો હીરા ઉદ્યોગ ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક સારવાર માટે તેમને પહેલા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પરંતુસતત બગડતી સ્થિતિ વચ્ચે કેવલએ અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

મૃતક કેવલ બાબુભાઈ મકવાણા:-

Keval

કેવલ રત્નકલાકાર તરીકે કાર્યરત હતો. પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો. તેની રત્નકલાકાર તરીકેની નોકરી છૂટી ગઈ હતી. જેથી આર્થિક સંકડામણ ઉભી થઈ હતી. જેના માનસિક તણાવમાં કેવલ રહેતો હતો. આ મામલે આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છેજોકે વરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ,બિશ્નોઈ ગેંગના બે સભ્યો સહિત ત્રણની ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી

New Update
  • આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ

  • બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણની ધરપકડ

  • 335 સ્ક્રીનશોટ મળતા આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું

  • બર્મા,પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગના સ્ક્રીન શોટ મળ્યા

  • USDT દ્વારા રૂપિયા વિદેશમાં મોકલતા હતા 

સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગરિતો સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં આરોપીઓના મોબાઈલમાંથી 335 જેટલા સ્ક્રીન શોટ મળતા કૌભાંડના તાર બર્મા,પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આ ગેંગ ભારતમાં નકલી બેંક ખાતા ખોલીક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમ દ્વારા છેતરપિંડી આચરતી હતી. બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગફોરેક્સહવાલાસાયબર ફ્રોડ અને ચીટીંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને યુએસડીટી દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છેજેમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિશ્નોઈ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટેલમાંથી રામસ્વરૂપ બિશ્નોઈ અને સાગર બિશ્નોઈની ધરપકડ કરી હતીતેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ બાદ બોટાદના ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છેજ્યારે અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.