સુરત : વિદ્યાર્થીનીના આપઘાત પ્રકરણમાં DEOના રિપોર્ટ બાદ પોલીસ કરશે કાર્યવાહી

વિદ્યાર્થીનીની સ્કૂલમાં શૈક્ષણિક ફી બાકી હોવાના કારણે શાળા સંચાલકો ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા હતા,જે ઘટના બાદ DEO દ્વારા પણ તપાસ કમિટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી

New Update
  • ગોડાદરામાં ધો.8ની વિદ્યાર્થીનીનો આપઘાત મામલો

  • પોલીસે ઘટનામાં તપાસ કરી તેજ

  • કસૂરવાર વ્યક્તિ સામે થશે કડક કાર્યવાહી

  • DEOઓ તરફથી રિપોર્ટ મળ્યા બાદ પોલીસ તપાસ કરશે

  • વિદ્યાર્થીનીના આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસ કરશે તપાસ

સુરતના ગોડાદરા ખાતે ખાનગી શાળાની એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખી હતી,આ ઘટનામાં તેણીના પરિવારજનોએ શાળા સંચાલકો પર ફી મુદ્દે ટોર્ચનો આરોપ લગાવ્યો હતો,આ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ગોડાદરામાં આવેલ આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો,જોકે આ ઘટનામાં તેણીના પરિવારજનોએ શાળા સંચાલકો પર માનસિક ત્રાસથી યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.

વિદ્યાર્થીનીની સ્કૂલમાં શૈક્ષણિક ફી બાકી હોવાના કારણે શાળા સંચાલકો ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા હતા,જે ઘટના બાદDEO દ્વારા પણ તપાસ કમિટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી,જેમાં અન્ય બાબતોમાં પણ શાળાની ગેરરીતિ બહાર આવી હતી.

જ્યારે પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીનીના આપઘાત પ્રકરણમાં અલગ અલગ મુદ્દે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે,અનેDEO કચેરી દ્વારા તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ પોલીસ કસુરવારો સામે કડક કાર્યવાહી કરશે.   

Read the Next Article

સુરત કરોડોની હીરાની ચોરીના કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી

સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું.

New Update
diamond theft case

સુરતના કાપોદ્રામાં રૂપિયા 32 કરોડના હીરાની ચોરીના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને કાપોદ્રા પોલીસે મળીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે..આ ઘટનામાં માલિક પોતેજ આરોપી નીકળ્યો છે. એટલે કે જે વ્યક્તિએ હીરા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, એ જ આરોપી નીકળ્યો.

મળતી માહિતી અનુસાર, ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારની હીરાની ચોરી થઈ જ નહોતી. સમગ્ર ઘટનાનું તરકટ ફરિયાદી દ્વારા પોતે જ ઘડાયું હતું. પોલીસે જ્યારે ઉલટ તપાસ હાથ ધરી ત્યારે દેવેન્દ્રકુમાર ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા તેમને આરોપી તરીકે ઓળખી કાર્યવાહી શરૂ કરી.