સુરત : સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી, બાળકોને નવા કપડાં અને ફટાકડાનું વિતરણ કર્યું

ત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

New Update

સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પર્વની આગોતરી ઉજવણી

ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે અનોખી રીતે ઉજવણી

પોલીસે બાળકોને નવા કપડાંસ્કૂલબેગફટાકડાનું વિતરણ કર્યું

DCP ભગીરથસિંહ ગઢવીસલાબતપુરા પોલીસની ઉપસ્થિતિ

બાળકો સાથેની દિવાળી પોલીસ કર્મીઓ માટે યાદગારભરી બની

સુરત શહેરની સલાબતપુરા પોલીસે ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.

દિવાળી એ રોશનીનો પર્વ છે. સૌ કોઈ આ પર્વની ધામધૂમપર્વક ઉજવણી કરતા હોય છેત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા બાળકોને નવા કપડાંસ્કૂલબેગમીઠાઈ અને ફટાકડા આપી દિવાળીનું પ્રી-સેલિબ્રેશન કર્યું હતું. આ પ્રસંગે DCP ભગીરથસિંહ ગઢવી સહિત સલાબતપુરા પોલીસ મથકની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. પોલીસે ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓને સાથે રાખી દિવાળીની ઉજવણી કરતાં પ્રસંગે તમામ લોકોનું મન મોહી લીધું હતુંત્યારે ખરા અર્થામાં પોલીસની આ બાળકો સાથેની દિવાળી દરેક પોલીસ કર્મીઓ માટે યાદગારભરી સાબિત થઈ છે.

 

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.