સુરત: શાલિની અગ્રવાલે SMC કમિશ્નર તરીકેનો ચાર્જ સાંભળ્યો, 11 વર્ષ બાદ પાલિકાનું સુકાન મહિલાના હાથમાં

વડોદરા મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી સુરત બદલી પામેલા આઇએએસ અધિકારી શાલિની અગ્રવાલે આજે સવારે સુરત મહાપાલિકાનો ચાર્જ સાંભળ્યો હતો

New Update
સુરત: શાલિની અગ્રવાલે SMC કમિશ્નર તરીકેનો ચાર્જ સાંભળ્યો, 11 વર્ષ બાદ પાલિકાનું સુકાન મહિલાના હાથમાં

સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલે આજે સુરત મ્યુ. કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

વડોદરા મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી સુરત બદલી પામેલા આઇએએસ અધિકારી શાલિની અગ્રવાલે આજે સવારે સુરત મહાપાલિકાનો ચાર્જ સાંભળ્યો હતો. તેઓ શુક્રવારે સાંજે વડોદરાથી સુરત આવી પહોંચ્યા હતા.પાલિકાના બે ઉચ્ચ અધિકારી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકીટ હાઉસ ખાતે તેમને વેલકમ કરવામાં આવ્યા હતા. સરકારી બેડામાં કડકાઇથી કામગીરી લેવા માટે જાણીતા શાલિની અગ્રવાલ સુરતના ૩૨મા મ્યુ. કમિશનર છે. તો, બીજા ક્રમે સુરતના મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ પાલિકાનું સુકાન હાથમાં લેશે. આ પહેલા એસ.અપર્ણા એપ્રિલ ૨૦૦૭થી સપ્ટેમ્બર ૨૦૧૧ દરમિયાન સુરત મ્યુ. કમિશનર તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે.શાલીની અગ્રવાલે રજાના દિવસે જ ચાર્જ લીધો છે. આ સાથે જ વહીવટી તંત્રને આરામ કે આળસ છોડી કામે લાગી જવાનો મેસેજ પણ આપી રહ્યાં છે.

Read the Next Article

સુરત : પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતો પરિચિત યુવક,પોલીસે કરી આરોપીની ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી. 

New Update
  • પાંડેસરામાં વધુ એક દુષ્કર્મની ઘટના

  • ધો.9માં અભ્યાસ કરતી દીકરી બની દુષ્કર્મનો ભોગ

  • ઘરેથી બુક લેવા નીકળેલી દીકરી સાથે દુષ્કર્મ 

  • પાડોશમાં રહેતા યુવકે જ આચર્યું દુષ્કર્મ

  • પોલીસે નરાધમ યુવકની કરી ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પાડોશમાં રહેતા યુવકે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી,અને આ અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને નરાધમ યુવકની ધરપકડ કરી હતી. 

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીર બાળા કે જે ધોરણ 9માં અભ્યાસ કરે છે,જોકે વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે નીકળી હતી,ત્યારે તેના પાડોશમાં રહેતા યુવકે બદઇરાદા પૂર્વક સગીરાને પોતાની બાઈક પર બેસાડીને અવાવરુ જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું,અને બાદમાં સગીરાને ગુપ્ત ભાગે લોહી નીકળતા તેને ગંભીર હાલતમાં કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો.જોકે યુવતી ઘરે પહોંચતા તેના લોહીથી લથપથ કપડા જોતા પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી.અને પરિવારજનો દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ઘટના અંગેની હકીકત બહાર આવી હતીઘટના અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી,જે ફરિયાદને આધારે પોલીસે નરાધમ આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.