સુરત:તપતેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણનું આયોજન, કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
  • સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આયોજન

  • તપતેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરાયું

  • શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

  • કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે રસપાન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે લાભ

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ તપતેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કથાકાર ધવલ વ્યાસ શિવકથાનું સંગીતમય રીતે અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. સીમાનગર મહિલા મંડળ દ્વારા આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઇ રહ્યા છે. તારીખ 26 એપ્રિલ સુધી ચાલનાર શિવ કથા દરમિયાન વિવિધ પ્રસંગો પણ ઉજવાશે.કથાકાર ધવલ વ્યાસ દ્વારા તાજેતરમાં હરિદ્વાર ગામમાં પણ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના સૌથી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા.
Read the Next Article

સુરત : ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતા કારખાનામાં પોલીસના દરોડા, 12 શખ્સની ધરપકડ...

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

New Update
  • LCB અને સરથાણા પોલીસની સંયુક્ત રીતે મોટી કાર્યવાહી

  • ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતું એક કારખાનું ઝડપાયું

  • 23 ટકા સોનું નાંખી હોલમાર્કની સિક્કો મારી વેચાણ કરતા

  • સરથાણા પોલીસ દ્વારા 12 શખ્સની ધરપકડ કરવામાં આવી

  • દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી અને મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ઝોન-1 LCB પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કેઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર 23% સોનું ભેળવીને દાગીના બનાવતી હતીઅને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. જોકેઆ કારખાનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકેઆરોપી હરીશ ખટાણા અને વિમલ નામના 2 આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 4 ચેઈનચેઈન બનાવવાનું મશીનઅને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.