સુરત:તપતેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણનું આયોજન, કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
  • સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આયોજન

  • તપતેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરાયું

  • શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

  • કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે રસપાન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે લાભ

Advertisment

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ તપતેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કથાકાર ધવલ વ્યાસ શિવકથાનું સંગીતમય રીતે અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. સીમાનગર મહિલા મંડળ દ્વારા આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઇ રહ્યા છે. તારીખ 26 એપ્રિલ સુધી ચાલનાર શિવ કથા દરમિયાન વિવિધ પ્રસંગો પણ ઉજવાશે.કથાકાર ધવલ વ્યાસ દ્વારા તાજેતરમાં હરિદ્વાર ગામમાં પણ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના સૌથી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા.
Advertisment
Latest Stories