સુરત:તપતેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણનું આયોજન, કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
  • સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આયોજન

  • તપતેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરાયું

  • શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ

  • કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે રસપાન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે લાભ

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ તપતેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કથાકાર ધવલ વ્યાસ શિવકથાનું સંગીતમય રીતે અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. સીમાનગર મહિલા મંડળ દ્વારા આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઇ રહ્યા છે. તારીખ 26 એપ્રિલ સુધી ચાલનાર શિવ કથા દરમિયાન વિવિધ પ્રસંગો પણ ઉજવાશે.કથાકાર ધવલ વ્યાસ દ્વારા તાજેતરમાં હરિદ્વાર ગામમાં પણ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના સૌથી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા.
Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.