સુરત: સોફ્ટવેર એન્જિનિયરની ફૂલોની સફળ ખેતી,યુવા ખેડૂત બન્યો અન્ય માટે પ્રેરણારૂપ

35 વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે. સતિષ પટેલ ખેડૂત, સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે.

New Update
  • ઓલપાડના સોફ્ટવેર એન્જિનિયર યુવાન બન્યો ખેડૂત

  • સોફ્ટવેર ડેવલોપમેન્ટ સાથે કરે છે ખેતી   

  • યુવાને કરી ગલગોટાની સફળ ખેતી

  • ફૂલોની ખેતી કરી યુવાને વર્ષે દહાડે લાખોની કરી કમાણી

  • યુવન ખેડૂત બન્યો અન્ય માટે પ્રેરણારૂપ

 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના સોફ્ટવેર એન્જિનિયરે ફુલોની ખેતી કરવાની શરૂઆત કરી છે. ફુલોની ખેતી કરી યુવાન વર્ષે દહાડે લાખોની કમાણી કરી રહ્યા છે.  સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી 35 વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે. સતિષ પટેલ ખેડૂતસોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે.

આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ફૂલોની ખેતી કરતા સતિષ પટેલે જણાવ્યું હતું કે મને નાનપણથી જ ખેતી સાથે અત્યંત લગાવ હતો. હું ભણીગણીને સોફ્ટવેર એન્જિનિયર બન્યો. હાલ સુરત શહેરમાં બે ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળી રહ્યો છું. પણ  કોરોનાના સમયગાળા બાદ સોફટવેરના વ્યવસાયની સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી. જેથી ગલગોટાના ફુલોની ખેતી કરવાની શરૂઆત કરી હતી.

ઓગસ્ટ-2024માં ત્રણ એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું હતું. નાસિકથી એક છોડ 4 રૂપિયાના ભાવે લાવી 32000 છોડનું વાવેતર કર્યું હતું. જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રીપ ઈરીગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચીંગ પધ્ધતિ અપનાવીજેમાં સરકાર દ્વારા મલ્ચીંગમાં રૂપિયા 26,000 તથા મેરીગોલ્ડમાં રૂપિયા 42,500 જેટલી સબસિડી પણ મળી છે.

સતીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગલગોટાની ખેતીનો સમયગાળો 90 દિવસનો હોય છે. 60 દિવસ બાદ ઉત્પાદન શરૂ થાય છે,પણ હાલ મારા ખેતરમાં 105 દિવસ બાદ પણ ફુલોનું ઉત્પાદન લઈ રહ્યો છું. દરરોજ 250 કિલોનું ઉત્પાદન મળી રહ્યું છે.

સરેરાશ ભાવ એક કિલો દીઠ રૂપિયા 50નો ભાવ મળ્યો હોવાનું તેઓ જણાવે છે. એક છોડ પર એક કિલોનું ઉત્પાદન મળતા કુલ 15 લાખના ગલગોટાનું ઉત્પાદન મળ્યું છેજેમાં 40 ટકા ખર્ચ બાદ કરતા રૂપિયા 8 લાખનો ચોખ્ખો નફો થાય છે. સુરત શહેરના અશ્વિનીકુમાર ખાતે ફૂલોની માર્કેટમાં વહેલી સવારે જઈને સતીશ જાતે જ વેચાણ કરે છે.ગલગોટાના ફુલોમાં રોગ જીવાતની વિશે તેઓ જણાવે છે કેઆ છોડમાં ફંગસ તથા ઈયળનું પ્રમાણ વધારે રહે છે.

ફુલોના છોડમાં વ્યવસ્થિત ફલાવરીંગ તથા બગાડ ન થાય તે માટે સ્ટેકીંગનો સપોર્ટ મહત્વનો છે.આ સોફ્ટવેર એન્જિનિયર યુવાને વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી છે. તેમણે સોફ્ટવેર અને ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં બિઝનેસની અસીમિત તકો હોવા છતાં વ્યવસાયની સાથોસાથ ખેતીને પણ જીવનનો ભાગ બનાવ્યો છે.

Latest Stories