સુરત : સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરનાર વ્યક્તિ વિશેષોનું “સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર”થી સન્માન, મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...

સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

New Update
  • 'સેવ કલ્ચરસેવ ભારત ફાઉન્ડેશન'ની પ્રેરણાથી કાર્યક્રમ યોજાયો

  • સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરતા 8 વ્યક્તિ વિશેષ

  • 8 લોકોને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત

  • રૂ. 1 લાખ રોકડ પુરસ્કારપ્રશસ્તિપત્રસ્મૃતિચિહ્ન અર્પણ કરાયા

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતી

સંસ્કૃતિસદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના રમત-ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા'સેવ કલ્ચરસેવ ભારત ફાઉન્ડેશન'ની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત એવોર્ડ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રભાવનાથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સર્વ સાવરપ્રસાદ રામપ્રસાદ બુધીયાસુધા કાકડિયા નાકરાણીનંદકિશોર શર્માકેશવભાઈ ગોટીગીતાબેન શ્રોફતરૂણ મિશ્રાકોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈ (વકીલ)ને'ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી તેમજ રમતગમતસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક વ્યક્તિ વિશેષને રૂ. 1 લાખનું રોકડ પુરસ્કારપ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા હતા. સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરી રહેલા વ્યક્તિ વિશેષોને સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરી આનંદની લાગણી સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કેયુવાધનને સાચી દિશા આપવા અને દૂષણોને નાથવા પણ એટલા જ જરૂરી છે. નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારે મૂલ્યો સાથેના શિક્ષણ ઉપર પણ સતત ભાર મુક્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : પાંચ વર્ષ પહેલા ચોરાયેલી મોપેડના ઈ-મેમોથી પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ,ચાર વર્ષમાં બે મેમો અને કોર્ટનું સમન્સ મળ્યું

કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે.

New Update
  • ટ્રાફિક અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ

  • કતારગામમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

  • પાંચ વર્ષ પહેલા ચોરાઈ હતી મોપેડ

  • ચોરાયેલી મોપેડના મૂળ માલિકને મળી રહ્યા છે મેમો

  • એકટીવાના ચાલક સાથેના બે વખત આવ્યા મેમો

  • પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ

સુરતમાં કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે. પરંતુ ચોરી થયેલી મોપેડ અને વાહન ચોર પોલીસથી પકડાતા નથી જે બાબતે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અમરોલી વિસ્તારમાં રહેતા નરેશ ધોળા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઇડીસી પાસે દુકાન આવેલી છે. 2021માં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું. પોલીસ પણ કોઈ કાર્યવાહી કરી રહી ન હતી. દરમિયાન 2022માં સોસીયો સર્કલ પાસે ફોન પર વાત કરતા કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો હતો. આ મેમો ભરવામાં ન આવતા 2023માં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું. ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું. મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે કોર્ટ સહિતના ધક્કા ખાતા હતા.

2023માં કતારગામ પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે ત્યારે પણ તેમની મોપેડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધીને સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા. 2023થી લઈને 2025 સુધી નરેશને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી. જોકે 19 એપ્રિલના રોજ હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો. આ મેમો જોઈને ફરી નરેશ ચોંકી ગયા હતા. ચાર વર્ષથી મોપેડ મળતું નથી અને કોર્ટનું સમન્સ અને બે મેમો ઘર પર પહોંચ્યા હતા.

નરેશ ધોળાએ જણાવ્યું હતું કેમારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું. જોકે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને કોર્ટના સમન્સ અને બે મેમા મને મળ્યા છે. મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે. પણ પોલીસ તેને પકડી શકતી નથી. લાપરવાહી તો છે જ મને તો એવું કહ્યું હતું કે તમારો ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને 24 કલાકમાં મળી જશે. ચાર વર્ષ થઈ ગયા હજુ મારી ફરિયાદ લીધી નથી મારા હાથની લખેલી અરજી જ લીધી છે. હવે તો મારે ગાડી જ જોઈએ ગમે એમ કરીને મને મારી ગાડી અપાવો તેવી માંગ તેઓએ પોલીસ સમક્ષ કરી રહ્યા છે.