સુરત : સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરનાર વ્યક્તિ વિશેષોનું “સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર”થી સન્માન, મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...

સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

New Update
  • 'સેવ કલ્ચરસેવ ભારત ફાઉન્ડેશન'ની પ્રેરણાથી કાર્યક્રમ યોજાયો

  • સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરતા 8 વ્યક્તિ વિશેષ

  • 8 લોકોને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત

  • રૂ. 1 લાખ રોકડ પુરસ્કારપ્રશસ્તિપત્રસ્મૃતિચિહ્ન અર્પણ કરાયા

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતી

સંસ્કૃતિસદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના રમત-ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા 'સેવ કલ્ચરસેવ ભારત ફાઉન્ડેશન'ની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત એવોર્ડ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રભાવનાથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સર્વ સાવરપ્રસાદ રામપ્રસાદ બુધીયાસુધા કાકડિયા નાકરાણીનંદકિશોર શર્માકેશવભાઈ ગોટીગીતાબેન શ્રોફતરૂણ મિશ્રાકોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈ (વકીલ)ને 'ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી તેમજ રમતગમતસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક વ્યક્તિ વિશેષને રૂ. 1 લાખનું રોકડ પુરસ્કારપ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા હતા. સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરી રહેલા વ્યક્તિ વિશેષોને સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરી આનંદની લાગણી સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કેયુવાધનને સાચી દિશા આપવા અને દૂષણોને નાથવા પણ એટલા જ જરૂરી છે. નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારે મૂલ્યો સાથેના શિક્ષણ ઉપર પણ સતત ભાર મુક્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

 

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.