સુરત: રાજ્યકક્ષાના કેન્દ્રિય પ્રધાન દર્શના જરદોશે કરી ઉત્તરાયણના પર્વની ઉજવણી
મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉતરાયણનો પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે ત્યારે વિદેશી પતંગ બાજો પણ ગુજરાત આવતા થયા છે
BY Connect Gujarat Desk14 Jan 2023 11:21 AM GMT
X
Connect Gujarat Desk14 Jan 2023 11:21 AM GMT
રાજ્યકક્ષાના કેન્દ્રિય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશે આજરોજ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી અને રાજ્યવાસીઓને આ પર્વની શુભકામના આપી હતી ટેક્સટાઈલ અને રેલમંત્રી દર્શના જરદોશે સુરતમાં પરિવારજનો અને સુરતીઓ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી.મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉતરાયણનો પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે ત્યારે વિદેશી પતંગ બાજો પણ ગુજરાત આવતા થયા છે. ગુજરાતમાં પતંગ અને દોરી બને છે. કોરોનાકાળ બાદ વિકેન્ડમાં આ વર્ષે ઉતરાયણ આવતા બમણો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે...
Next Story