સુરત : ટેક્સટાઈલ ઉદ્યોગોએ બજેટને આવકાર્યું,તો ડાયમંડ વર્કસ યુનિયનમાં અંદાજપત્ર થી અસંતોષ

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું હતું.જોકે,હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો

New Update
  • રાજ્યના નાણામંત્રીએરજુ કર્યું બજેટ

  • બજેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ જાહેરાત

  • રૂ.2000 કરોડની કરવામાં આવી જોગવાઈ

  • ડાયમંડ ઉદ્યોગમાં બજેટને લઈને સાંપડી નારાજગી

  • ડાયમંડ વર્કસ યુનિયનમાં છવાયો અસંતોષ 

ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી દ્વારા ટેકસટાઇલ પોલિસી માટે રૂ.2 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.જેને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ આવકાર્યું હતું.જોકે,હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું,જેમાં તેઓએ વિવિધ મહત્વલક્ષી બાબતોને આવરી લીધી હતી,અને ખાસ કરીને ટેક્સટાઈલ  ઉદ્યોગ માટે પણ આ બજેટમાં રૂપિયા 2 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે,ત્યારે ગુજરાતના  ટેક્સટાઈલ હબ ગણાતા સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ આલમે ખુશી વ્યક્ત કરીને બજેટને આવકાર્યું હતું,અને બજેટને ટેક્સટાઈલ ઉદ્યોગમાં નવું જોમ અને જુસ્સો લાવનાર તેમજ વિકાસલક્ષી ગણાવ્યું હતું.  

તો બીજી તરફ સુરતના ડાયમંડ બજારમાં બજેટને લઈને અસંતોષ જોવા મળ્યો હતો.મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કોઈજ જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી છે.ડાયમંડ વર્કર યુનિયનને આ બજેટથી અસંતોષ વ્યક્ત કર્યો હતો.છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને લઈ અનેક રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ તેમછતાં રત્નકલાકારોની કોઈ જ દરકાર લેવામાં આવી ન હોવાનું ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.