સુરત : 118 રત્ન કલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી મેનેજર પોલીસના હાથે ઝડપાયો…

પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુન્હામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી

New Update
  • કાપોદ્રામાં 118 રત્ન કલાકારોએ ઝેરી પાણી પીવાનો મામલો

  • દેવું વધી જતાં આરોપીએ આત્મહત્યાનો પ્લાન બનાવ્યો હતો

  • આરોપીએ ફિલ્ટર પાસે ઝેરી દવા પીવાનો કર્યો હતો પ્રયાસ

  • હિંમત ન થતાં સેલફોર્સ પાવડરનું પાઉચ ફિલ્ટરમાં નાંખી દીધું

  • પોલીસે આરોપી મેનેજર નિકુંજ દેવમુરારિની ધરપકડ કરી

સુરતમાં 118 રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ દેવમુરારિને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતીઅને તે જ આરોપી નીકળ્યો છે.

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના અનભ ડાયમંડમાં કૂલરમાં પહેલાં જેને ગંધ આવી તે મેનેજર નિકુંજ દેવમુરારી જ આરોપી નીકળ્યો છે. મળતી માહિતી અનુસારનિકુંજને ઓનલાઇન અનાજ ટ્રેડિંગના ધંધામાં લાખોનું દેવું થયું ઉપરથી ગર્લફેન્ડ પાછળ પૈસા ઉડાવી દીધા હતા. જેના કારણે નિકુંજને 10 લાખનું દેવું થઈ જતાં લોકો ઉઘરાણી કરવા આવતા હતા. જેથી તે ટેન્શનમાં આવી ગયો હતો.

આપઘાત કરવા માટે ગત તા. 31મી માર્ચના રોજ નિકુંજે સરથાણાના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી સેલફોર્સ પાવડરનું પેકેટ ખરીદી કર્યું હતું. જેનાCCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસથી તે સ્યુસાઇડ કરવાનો પ્લાન બનાવતો હતોપણ જીવ ચાલતો ન હતો. ખાલી પાવડર ખાવાની પણ તેની હિંમત ન હતી. જોકેગત તા. 9મી એપ્રિલે સવારે તે કારખાનામાં પાણીના કૂલર પાસે ગયોજ્યાં પાણીમાં નાંખીને ઝેર ખાવાની તૈયારી કરતો હતોત્યારે જ અન્ય કારીગરો પણ આવી પહોંચતાં નિકુંજે ઉતાવળમાં સેલફોર્સ પાવડરની પડીકી કૂલરમાં નાંખી દીધી હતી.

તેને ખબર હતી કેઝેરવાળું પાણી છે છતાં તે આ પાણી પી ગયો હતો. તેની સાથે અન્ય 6 કારીગરોએ પણ બોટલોમાં પાણી ભરી દીધું હતું. આ ઝેરી પાણી પીવાથી કારીગરોના જીવનું જોખમ થઈ શકે છેતેવા ડરના કારણે નિકુંજે પાણીમાં ગંધ આવતી હોવાની વાત કારખાનાના સુપરવાઇઝરને કરી હતી.

જેથી સુપરવાઇઝરે ત્યાં આવીને પાણીનું કૂલર ચેક કરતાં તેમાંથી સેલફોર્સનું પેકેટ મળી આવ્યું હતુંત્યારે હાલ તો અનભ ડાયમંડમાં પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુન્હામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી નિકુંજ મુખ્ય મેનેજરનો ભાણેજ થાય છેજેથી કારખાનામાં તેને મેનેજર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.