ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સુરત શહેરના રિંગ રોડ વિસ્તાર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર સહિત શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સુરતના રિંગ રોડ વિસ્તાર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. દેશની 120 કરોડ જનતાને ભારતીય બંધારણમાં સમતા, સ્વતંત્રતા અને બંધુત્વતાનો હક્ક અધિકાર આપનારા એવા ભારતીય સવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું તા. 6 ડિસેમ્બર 1956ના રોજ નિધન થયું હતું, ત્યારે આજના દિવસે દેશભરમાં લોકો ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.